________________
( પુરે ખ્યાલ કરતી નથી. નિરર્થક ભયપ્રદર્શનથી બાળકનું મને સંકુચિત, નિર્બળ અને સાહસરહિત બની જાય છે. પછી તે તે સહેજ અંધકારમાં જતાં કે મહેટે અવાજ સાંભળતાં પણ થરથરી ઉઠે છે. રાત્રે Tઘણું બાળક પુરી નિદ્રા લઈ શકતા નથી અને ભયંકર
સ્વપ્ન જોઈ ત્રાસી ઉઠે છે. તેનું કારણ પણ પ્રાય: આ મિથ્યા ભયપ્રદર્શન જ હોય છે. આપણું સંતાનોની
તેમજ આપણી પોતાની વર્તમાન ભીરુતાનું મૂળ પણ - મારા ધારવા પ્રમાણે આજ છે. ભયથી બાળક તું
છાનું રહી જાય એ વાત અલબત્ત સત્ય છે પરંતુ તેજ | વખતે ભયને લીધે તેનું હૃદય કેવું ત્રાસી ઉઠતું હશે તેને આપણે આપણું પોતાના અનુભવ ઉપરથી જ ખ્યાલ કરી લેવું જોઈએ. મિથ્યા ભય બતાવો એ જેમ અનુચિત છે તેમ મિથ્યા આશાઓ આપી નિરંતર છેતરપીંડી ચાલુ રાખવી એ પણ સર્વથા અનુચિત છે. માતા જે ધારે તે આકાશમાંથી સૂર્ય અથવા ચંદ્ર પણ ઉતારી શકે એ બાળકના સરળ હૃદયમાં દ્રઢ વિશ્વાસ હોય છે. માતા જે કંઈ કહેશે તે અવશ્ય ફળીભૂત થશે એમ તે શ્રદ્ધાથી માનતે હોય છે, પરંતુ વખત જતાં માતાએ આપેલી આશાઓ જ્યારે તેને બનાવટી અને મિથ્યા જણાવા લાગે ત્યારે તે માતાના શબ્દો ઉપર વિશ્વાસ મુકવાનું માંડી વાળે છે, એટલું જ નહીં પણ સંસારમાં આવીજ બનાવટી–અસત્ય વાતથી
૬૫