________________
વિવિધ આવશ્યકતાઓની માહિની મૂર્તિઓ સમા જના મહેટા ભાગને મૂર્શિત કરી રહી છે. સંયમના અભાવે આપણું ગ્રહોમાં અનેક જાતની શારીરિક તેમજ માનસિક આધિ-વ્યાધિ ઉપાધિઓ દાખલ થઈ ગઈ છે. તેના પંજામાંથી છુટવાના વ્યર્થ પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ જ્યાં સુધી રેગે અને કન્ટેનાં મૂળ (સ્વરૂપ મેજમજાહ અને સ્વચ્છંદતાને અંકુશમાં રાખવામાં ન આવે ત્યાં સુધી એ ઉપાય જેવા જોઈએ તેવા અસરકારક ન થઈ શકે એ ખુલ્લું છે. આપણને સામાન્યતઃ દેવીઓ, સહધર્મિણીએ, તેમજ અગનાઓના સુમધુર નામથી સંબોધવામાં આવે છે. પરન્તુ ખરી રીતે તે આપણે કેવળ “રમણી” “ જ્યા કે કામિની” ના નામની જ સાર્થકતા કરવા કેમ જમ્યા ન હોઈએ એ ભાસ આવ્યા વિના રહેતે નથી. રમણ એટલે રમણની-ક્રિડાની એક પુતળી,
અને તે પુરૂષની જ, એમ કહેવાની આવશ્યકતા નથી. ભિજ્યા અને કામિનીને પણ એજ અર્થ થઈ શકે.
ત્યારે શું આપણા જન્મને અને જીવનને ઉદ્દેશ માત્ર પશુવૃત્તિ પોષવાને જ છે? આપણું સાર્થકતા શું કેવળ ભેગ-વિલાસની અગ્નિમાં ઈધણ નાખવામાં જ સમાપ્ત થવી જોઈએ? લગ્નના યથાર્થ આશયને જે તું શાંત ચિત્તે વિચાર કરશે તે તને જણાશે કે સ્ત્રીપુરૂષના લગ્ન સંબંધમાં પાશવતાને સ્થાન સરખું પણ
Like