SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Aડા . પચસંગ્રહ તૃતીયખંડ તેઉકાયમાં ૨૩ આદિ ૫ બંધસ્થાન હોય છે. પરંતુ તેઉકાય અને વાયુકાય મનુષ્ય પ્રાગ્ય બંધ કરતા નથી. કેવળ તિર્યંચ પ્રાગ્ય જ બંધ કરે છે. તેથી બંધ ભાંગામાં ફેર પડે છે. ૨૩. ના બંધના ૪, ૨૫ ના અપર્યાપ્ત મનુષ્યના ૧ વિના ૨૪, ૨૬ ના ૧૬, ૨૯ ના વિકલેન્દ્રિયના ૨૪ અને પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના (૪૬૦૮) છેતાલીશસો આઠ એમ (૪૬૩૨) છેતાલીશ બત્રીશ અને એજ પ્રમાણે ૩૦ ના બંધના પણ ૪૬૩૨, માટે ૫ બંધસ્થાનના બંધભાંગા ૯૩૦૮ થાય છે. તેઉકાય તથા વાયુકાયને આતપ તેમજ ઉદ્યોતને ઉદય ન હોવાથી ૨૭ નું ઉદયસ્થાન પણ હોતું નથી. માટે ૨૧ અને ૨૪ થી ૨૬ સુધીનાં ૪ ઉદયસ્થાને હોય છે. આ જીવને યશને ઉદય પણ હેતું નથી. પરંતુ કેવળ અયશને જ ઉદય હોય છે. તેથી ૨૧ ના ઉદયના બાદર અને સૂક્ષ્મ પર્યાપ્ત-અપર્યાપ્તના અયશ સાથેના ૪ ભાંગા હોય છે. ૨૪ના ઉદયે પણ પ્રત્યેક નામકર્મના ઉદય સહિત આ ક. ૨૫ના બાદર-સૂમ પર્યાપ્ત પ્રત્યેકના અયશ સાથે ના ૨, અને ૨૬ ના પણ આ જ પ્રમાણે ૨ એમ કુલ ૧૨ ઉદયભાંગ અને ૯૨ આદિ ૫ સત્તાસ્થાન હોય છે. - વાયુકાયમાં બંધસ્થાન આદિ સેવે તેઉકાય પ્રમાણે જ હોય છે. પરંતુ ૨૪-૨૫ અને ૨૬ ના ઉદયે વૈક્રિય શરીર બનાવનાર વાયુકાયને બાદર પર્યાપ્ત પ્રત્યેક અયશને ૧-૧ એમ ૩ ભાંગ અધિક હેવાથી ઉદયભાંગા ૧૨ ને બદલે ૧૫ હોય છે. , વનસ્પતિકાયમાં પૃથ્વીકાયની જેમ ૨૩ આદિ ૫ બંધસ્થાન અને (૧૩૯૧૭) તેર : હજાર નવસે સત્તર બંધભાંગા તેમજ ૨૧ અને ૨૪ થી ૨૭ સુધીનાં એમ પ ઉદયસ્થાને હોય છે. પરંતુ પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે. તેથી સૂક્રમના પ્રત્યેક સાથે ના ભાંગાઓ અહીં ઘટતા નથી. તેમજ આપને ઉદય ન હોવાથી આપના ભાગ પણ ઘટતા નથી, આ વાત ધ્યાનમાં રાખવી. - ૨૧ ના ઉદયે પાંચ. ૨૪ ના બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ-અયશ સાથે ના ૪, બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથે ના ૨, સૂમ પર્યાપ્ત અને અપર્યાપ્તના સાધારણ અયશ સાથેના ૨ એમ ૮. ૨૫ ને બાઇર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ-અયશ સાથેના ૪ અને સૂકમ પર્યાપ્ત સાધારણને અયશ સાથે ને ૧ એમ ૫. ૨૬ના આ જ પ્રમાણે ૫ અને ઉદ્યોતના ૪ એમ ૯ અને ૨૭ ના ઉદ્યોતવાળા ૪ એમ ૩૧ ઉદયભાંગા અને સત્તાસ્થાન ૯૨ આદિ ૫ હોય છે. ત્રસકાયમાં ચારે ગતિના છ હોવાથી ૨૩ આદિ ૮ બંધસ્થાન અને દરેક બંધસ્થાનના બંધમાંગ ઘટતા હોવાથી (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ બંધભાંગા અને ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી ૨૪ વિના શેષ ૧૧ ઉદયસ્થાન અને એકેન્દ્રિયના ૪૨ વિના કુલ (૭૭૪૯) સાત હજાર સાતસો ઓગણપચાસ ઉદયભાંગા અને ૯૩ આદિ ૧૨ સત્તાસ્થાન હોય છે.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy