________________
સારસપ્રહ
૩૦૧ જતાં નથી. માટે ૯૩ અને ૮૯ તેમજ ક્ષપકશ્રેણીમાં જ સંભવતાં હેવાથી ૭૯ આદિ ૫ આ ૭ સત્તાસ્થાને અહીં ઘટતાં નથી. ૭૮ અને ૮૬ નું સત્તાસ્થાન એકેન્દ્રિયમાં અથવા એકેન્દ્રિયમાંથી આવેલ અને અમુક અહ૫ કાળ સુધી પહેલે ગુણસ્થાનકે જ હેય છે. તેમજ ૮૦ નું સત્તાસ્થાન પહેલે અથવા ક્ષપકશ્રેણીમાંજ હોય છે. માટે તેમને અહીં સંભવ નથી.
અનાદિ મિથ્યાદિષ્ટી ત્રણ કરણ કરી ઉપશમ સમ્યકત્વ પામી અન્તઃકરણમાં વસે કેઈક મનુષ્ય પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકને પણ પ્રાપ્ત કરે છે. પરંતુ તે વખતે તેવી વિશુદ્ધિ ન હોવાથી સાતમે ગુણસ્થાનકે પણ તે આહારક ચતુષ્કને બંધ કરતા નથી. એમ લાગે છે. અને તેથી જ મનુષ્યના ૩૦ ના ઉદયસ્થાન સિવાયના અન્ય કેઈ ઉદયસ્થાનમાં ૯૨ નું સત્તાસ્થાન ટીકાકારે બતાવેલ નથી.
ઉપશમ સમ્યકત્વ પામી ઉપશમણિ કરનાર ને આહારક ચતુષ્કની સત્તા હેય છે. અને તેવા છે ઉપશમ શ્રેણીથી પડતાં સારવાદને આવી કાળ કરી દેવકમાં જઈ શકે છે, તે તેવા છેને દેવમાં ૨૧ અને ૨૫ આ બે ઉદયસ્થાનેમાં ૯૨ નું સત્તાસ્થાન ઘટી શકે છે. પરંતુ ટીકાકારશ્રીએ કયાંય પણ બતાવેલ નથી. માત્ર મનુષ્યને ૩૦ ના ઉદયસ્થાનમાંજ ૯૨ નું સત્તાસ્થાન બતાવેલ છે. ૨૧ અને ૨૫ ઉદયસ્થાનમાં બતાવેલ નથી. તેનું કારણ અલ્પકાલીન અને કવચિત્ હોવાથી વિવક્ષા ન કરી હોય એમ લાગે છે, નહિં તે દેવેને મનુષ્ય પ્રાગ્ય ૨૯ અને તિર્યંચ પ્રાગ્ય ર અને ૩૦ ના બંધ ૨૧-અને ૨૫ ના ઉદયસ્થાનમાં પણ ૯૨ નું સત્તાસ્થાન સંભવી શકે. તવ તે બહુત જાણે.
૨૮ ના બંધને સંવેધ -દેવ પ્રાગ્ય ર૮ ના બધે મનુષ્યને ૩૦ નું અને તિયને ૩૦ અને ૩૧ એમ ૨ ઉદયસ્થાને હોય છે.
ત્યાં ૩૦ના ઉદયના મનુષ્યના ૧૧૫ર અને વર સહિત તિર્યંચના ૧૧૫ર એમ તેવીશસે ચાર અને ૩૧ ના ઉદયે તિર્યંચના અગિયારસે બાવન એમ બન્ને ઉદયસ્થાને મળી (૩૪૫૬) ત્રશસે છપ્પન ઉદયભાંગા હોય છે. સામાન્યથી સત્તાસ્થાન ૨, ૩૦ના ઉદયે પણ બે જ અને ૩૧ ના ઉદયે ૮૮ નું એક, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૩ થાય.
૩૦ ના ઉદયે મનુષ્યના ૧૧૫રમાં ૯૨-૮૮ એમ બે-બે હોવાથી ૨૩૦૪ અને તિર્યંચના ૧૧૫૨ ભાંગામાં ૮૮ નું ૧ માટે કુલ ચોત્રીશસે છ૧૫ન અને ૩૧ ના ઉદયે ૧૧૫ર એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને બેંતાલશસે આઠ થાય.
૨૯-તથા ૩૦ ના બંધને સંવેધ-પં. તિર્યંચ અને મનુષ્ય પ્રાગ્ય ૨૯ ના બંધે તેમજ ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ૩૦ ના બધે આ ગુણસ્થાનકમાં