SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૮ પંચસંગ્રહ-૨ દશોપશમના લક્ષણ યથાપ્રવૃત્તાદિ પ્રથમ જે ત્રણ કરણો બતાવેલાં છે તેમાંથી યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ રૂપ બે કરણોથી અથવા બે કરણો થાય ત્યાં સુધી જે મૂળ અને ઉત્તરપ્રકૃતિઓની ઉપશમના થાય છે તે દેશોપશમના કહેવાય છે. આ દેશોપશમના ફક્ત મોહનીયમાં જ નહિ પરંતુ આઠ કર્મોમાં થાય છે. દેશોપશમના વડે ઉપશાંત થયેલ દલિકોમાં ઉદ્વર્તના, અપવર્તના, અને સંક્રમ આ ત્રણ કરણો પ્રવર્તે છે. પરંતુ તે સિવાય ઉદીરણા વગેરે શેષ કરણો પ્રવર્તતાં નથી. આ દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમસમય સુધી સત્તાગત સર્વ પ્રકૃતિઓમાં થાય છે. પરંતુ દર્શનત્રિક તથા ચાર અનંતાનુબંધિની દેશોપશમના પોતપોતાનો ક્ષય અથવા ઉપશમ કરવા માટે જે ત્રણ કરણો કરે છે તેમાંના અપૂર્વકરણના ચરમસમય સુધીના જીવો જ કરે છે. ભેદ–દેશોપશમના મૂળ તેમજ ઉત્તરપ્રકૃતિઓની થાય છે તેમજ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશોમાં પણ થાય છે. માટે મુખ્ય બે પ્રકાર અને તે એક-એકના ચાર ચાર પ્રકાર છે. ત્યાં મૂળ પ્રકૃતિઓની દેશોપશમના જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તરપ્રકૃતિઓની દેશોપશમના મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે છે. સ્વામી–સામાન્યપણે એ કેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના યથાસંભવ અપૂર્વકરણગુણસ્થાનકના ચરમસમય સુધીના બધા જીવો સત્તાગત કર્યપ્રકૃતિઓની દેશોપશમનાના સ્વામી છે, પરંતુ પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની સર્વોપશમના કરનાર મિથ્યાષ્ટિઓ અપૂર્વકરણના ચરમસમય સુધીના મિથ્યાત્વમોહનીયની દેશોપશમનાના સ્વામી છે, તેમજ અનંતાનુબંધિની ક્ષપણા અથવા ઉપશમના કરનાર યથાસંભવ ચારથી સાતગુણસ્થાનક સુધીના ચારે ગતિના જીવો અને દર્શનત્રિકની ક્ષપણા અથવા ઉપશમના કરનાર ચોથાથી સાતમા સુધીના ચાર ગુણસ્થાનકવર્તી પોતપોતાના અપૂર્વકરણના ચરમસમય સુધીના કોઈપણ જીવો અનંતાનુબંધિ અને દર્શનત્રિકની દેશોપશમનાના સ્વામી છે. સાલ્લાદિમૂળ અને ઉત્તરપ્રકૃતિ આશ્રયી સાઘાદિભંગ બે પ્રકારે છે. તેમાં પ્રથમ મૂળ પ્રકૃતિઓ આશ્રયી બતાવે છે. મૂળ પ્રકૃતિ આશ્રયી–આઠે મૂળ કર્મોની અનાદિકાળથી સત્તા હોય છે. અને એકેન્દ્રિયાદિ સઘળા જીવો અનાદિકાળથી તેની દેશોપશમના કરે છે. અને તે દેશોપશમના અપૂર્વકરણગુણસ્થાનકના ચરમસમય સુધી જ થાય છે. પરંતુ અનિવૃત્તિકરણ વગેરે ગુણસ્થાનકોમાં થતી નથી. એથી ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થઈ નવમાથી અગિયારમાગુણસ્થાનક સુધીના ત્રણમાંથી કોઈપણ ગુણસ્થાનકેથી પડી આઠમા વગેરે ગુણસ્થાનકે આવે ત્યારે પુનઃ દેશોપશમના શરૂ થાય છે. માટે સાદિ, નવમા ગુણસ્થાનકને ન પામેલા જીવોને અનાદિ, અભવ્યોને કોઈ કાળે દેશોપશમનાનો વિચ્છેદ થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્યોને ભવિષ્યમાં વિચ્છેદ થવાનો
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy