SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-૨ અસત્કલ્પનાએ આ બન્ને કરણોના ૨૫-૨૫ સમયો કલ્પીએ તો કુલ ૫૦ અને તેનાથી પણ કંઈક અધિક કાળના ૨૦ સમયો કલ્પીએ, તેમજ ઉદયાવલિકા ચાર સમયની કલ્પીએ તો પ્રથમ સમયે ઉતારેલ દલિકને રસોદયવાળી પ્રકૃતિઓમાં પ્રથમ ઉદય સમયથી અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં પાંચમા સમયથી આરંભી યાવત્ ૭૦મા સમય સુધી પૂર્વ-પૂર્વના સમયથી ઉપર-ઉપરના સમયમાં અનુક્રમે અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. ૭૩૮ પ્રથમ સમયે ઉતારેલ દલિકથી બીજા સમયે અસંખ્યાતગુણ દલિક ઉતારી પ્રથમ સમય ભોગવવા દ્વારા દૂર થયેલ હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયની અપેક્ષાએ બીજો સમય તે ઉદય સમય કહેવાય. તેથી રસોદયવાળી પ્રકૃતિઓમાં અપૂર્વકરણના બીજા સમયરૂપ ઉદય સમયથી લઈને ૭૦મા સમય સુધીના ૬૯ સમયોમાં અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં છઠ્ઠા સમયથી યાવત્ ૭૦મા સમય સુધીના પાંસઠ સમયોમાં ક્રમશઃ અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. બીજા સમયે ઉતારેલ દલિકોની અપેક્ષાએ ત્રીજા સમયે અસંખ્યાતગુણ દલિકો ઉતારે છે અને તે વખતે અપૂર્વકરણના બે સમયો વ્યતીત થયેલ હોવાથી રસોદયવાળી પ્રકૃતિઓમાં ત્રીજા સમયરૂપ ઉદય સમયથી લઈ ૭૦ સુધીના ૬૮ સમયમાં અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં સાતમા સમયથી ૭૦ સુધીના કુલ ૬૪ સમયોમાં અનુક્રમે અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. એમ ગુણશ્રેણિ કરવાના ચરમ સમય સુધી દરેક સમયે અસંખ્યાતગુણ દલિકો ઉતારે છે. અને તે અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણના જેમ જેમ સમયો વ્યતીત થતા જાય છે તેમ તેમ રસોદયવાળી પ્રકૃતિઓમાં ઉદય સમયથી લઈને અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી યાવત્ ૭૦મા સમય સુધીના બાકી રહેલ શેષ-શેષ સમયોમાં અસંખ્યાતગુણાકારે ગોઠવાય છે પરંતુ પૂર્વ-પૂર્વના સમયો વ્યતીત થાય ત્યારે ૭૦મા સમયથી ઉ૫૨ના સમયો વધતા નથી અર્થાત્ ઉપરના સમયમાં દલિક રચના થતી નથી. (જુઓ યન્ત્ર નં. ૩-૪ તેમજ નં. ૫-૬) (૪) અપૂર્વસ્થિતિબંધ : અપૂર્વકરણના પ્રથમ સમયે દરેક કર્મનો જે નવો સ્થિતિબંધ શરૂ કરે છે તે સ્થિતિબંધ પૂર્ણ થયે તેની અપેક્ષાએ બીજો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ન્યૂન કરે છે. તે પૂર્ણ થયે તેની અપેક્ષાએ ત્રીજો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ન્યૂન કરે છે. એમ અપૂર્વકરણના ચરમ સમય સુધી પૂર્વ-પૂર્વનો સ્થિતિબંધ પૂર્ણ થયે તેનાથી પછી-પછીનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન કરે છે. તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે થતા સાતે કર્મના સ્થિતિબંધની અપેક્ષાએ અપૂર્વકરણના ચરમ સમયે નવીન સ્થિતિબંધ સંખ્યાતગુણ હીન અર્થાત્ સંખ્યાત ભાગ પ્રમાણ કરે છે. (જુઓ યન્ત્ર નં. ૨) સ્થિતિઘાત અને સ્થિતિબંધ એકીસાથે શરૂ થાય છે અને સાથે જ પૂર્ણ થાય છે. અર્થાત્ એક સ્થિતિઘાત અને એક સ્થિતિબંધનો કાળ સરખો છે. માટે અપૂર્વકરણમાં જેટલા સ્થિતિઘાતો થાય છે તેટલા જ અપૂર્વ સ્થિતિબંધો પણ થાય છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy