SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૭૧૫ સઘળાં–આઠ કર્મોમાં થાય છે, સર્વોપશમનાની જેમ એકલા મોહનીયમાં જ નહિ. ૯૬ સ્વામીના વિષયમાં જ કંઈક વિશેષ કહે છે– खवगो उवसमगो वा पढमकसायाण दंसणतिगस्स । देसोवसामगो सो अपुव्वकरणंतगो जाव ॥१७॥ क्षपक उपशमको वा प्रथमकषायाणां दर्शनत्रिकस्य । देशोपशमकः स अपूर्वकरणान्तगो यावत् ॥१७॥ અર્થ–ત્રણ કરણ કરતા પોતાના અપૂર્વકરણના ચરમસમય સુધીના ક્ષેપક અથવા ઉપશમક પ્રથમકષાય અને દર્શનત્રિકની દેશોપશમનાના સ્વામી છે. ટીકાનુ–સામાન્ય રીતે સઘળાં કર્મોની દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમસમય પર્યત જ થાય છે, પરંતુ જે ગુણસ્થાનકે અનંતાનુબંધિની વિસંયોજના અથવા ઉપશમના કરવા તેમજ મિથ્યાત્વની અને દર્શનત્રિકની ઉપશમના અને ક્ષપણા કરવા ત્રણ કરણ કરે છે તેમાંના અપૂર્વકરણ સુધી જ તે તે પ્રકૃતિઓની દેશોપશમના થાય છે. જેમ કે, અનાદિ મિથ્યાત્વી ચારે ગતિના સંજ્ઞીપર્યાપ્તા ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિ માટે મિથ્યાત્વમોહનીયને ઉપશમાવવા મિથ્યત્વગુણસ્થાનકે ત્રણ કરણ કરે છે. તેમાં મિથ્યાત્વમોહનીયની દેશોપશમના અપૂર્વકરણના ચરમસમય પર્યત જ થાય છે, અનંતાનુબંધિની વિસંયોજના કરવા માટે ચારે ગતિના સંશી પર્યાપ્તા સ્વસ્વપ્રાયોગ્ય ચોથાથી સાતમા સુધીમાં વર્તતા ત્રણ કરણ કરે છે, અનંતાનુબંધિની ઉપશમના માટે સર્વવિરત મનુષ્યો જ ત્રણ કરણ કરે છે; અને તેની દેશોપશમના તે ત્રણ કરણમાંના અપૂર્વકરણના ચરમ સમયપર્યત જ થાય છે. દર્શનત્રિકની ક્ષપણા માટે ચોથાથી સાતમા સુધીના પ્રથમ સંઘયણી મનુષ્યો ત્રણ કરણ કરે છે અને તેની ઉપશમના માટે સર્વવિરત મનુષ્યો જ ત્રણ કરણ કરે છે. તેમાંના અપૂર્વકરણ સુધી જ તેની દેશોપશમના થાય છે. અને અન્ય કર્મોની દેશોપશમના તો અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમસમયપર્યત થાય છે. ૯૭ હવે સાદિ આદિ ભાંગાની પ્રરૂપણા કરી છે– साइयमाइचउद्धा देसुवसमणा अणाइसंतीणं । मूलुत्तरपगईणं साइ अधुवा उ अधुवाओ ॥९८॥ .. साद्यादिना चतुर्दा देशोपशमना अनादिसत्ताकानाम् । मूलोत्तरप्रकृतीनां सादिरध्रुवा त्वध्रुवाणाम् ॥१८॥ અર્થ-અનાદિસત્તાવાળી મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓની દેશોપશમના સાદિ આદિ ચાર ભેદે છે. અને અધુવસત્તાવાળી પ્રકૃતિની સાદિ અને સાંત એમ બે ભેદે છે. ટીકાનુ–જે મૂળ કે ઉત્તરપ્રકૃતિઓની ધ્રુવસત્તા-અનાદિકાળથી સત્તા છે, તેઓની દેશોપશમના સાદિ, અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ચાર ભેદે છે. તેની અંદર પ્રથમ મૂળકર્મમાં ચાર ભાંગા ઘટાવે છે–મૂળ આઠે કર્મની અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ દેશોપશમના થતી
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy