SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૬૬૧ યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ વડે પ્રાપ્ત કરે છે. ત્યાં જો અવિરતિ છતાં ઉપરોક્ત બે કરણ કરે તો દેશિવરતિ અથવા સર્વવિરતિ બેમાંથી ગમે તે પ્રાપ્ત કરે છે, અને દેશવિરત છતાં ઉપરોક્ત બે કરણ કરે તો સર્વવિરતિને જ સ્વીકારે છે. શંકા—દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરતાં ત્રીજું અનિવૃત્તિકરણ કેમ થતું નથી ? ઉત્તર—કરણકાળથી પહેલાં પણ અંતર્મુહૂર્ત કાળ પર્યંત પ્રતિસમય અનંતગુણ ચડતી વિશુદ્ધિએ વર્તમાન અશુભ કર્મોનો રસ બે સ્થાનક કરે છે, અને શુભ પ્રકૃતિઓનો રસ ચતુઃસ્થાનક કરે છે ઇત્યાદિ સ્વરૂપ કહ્યું તે પ્રમાણે યથાપ્રવૃત્તકરણ પર્યંત અહીં પણ કહેવાનું છે. યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણના સ્વરૂપને પણ એ જ પ્રમાણે સમજવાનું છે. માત્ર અહીં દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરતાં થતા અપૂર્વક૨ણમાં ગુણશ્રેણિ થતી નથી. અપૂર્વકરણ પૂર્ણ થતાં જ અનંતર સમયે અવશ્ય દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. તેથી ત્રીજું અનિવૃત્તિકરણ થતું નથી. उदयावलिए उपि गुणसेढिं कुणइ चरित्तेण । अंतो असंखगुणणाइ तत्तियं वडई कालं ॥३१ ॥ उदयावलिकाया उपरि गुणश्रेणिं करोति सह चारित्रेण । अन्तः (मुहूर्त्तं) असंख्यगुणनया तावन्मात्रं वर्द्धते कालम् ॥३१॥ અર્થદેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થતાંની સાથે જ ઉદયાવલિકા ઉપર અંતર્મુહૂર્ત કાળ પર્યંત અસંખ્ય ગુણકારે ગુણશ્રેણિ કરે છે. તેટલો જ કાળ અવશ્ય પ્રવર્ધમાન પરિણામી હોય છે. ટીકાનુ—દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરવા માટે થતા અપૂર્વકરણમાં ગુણશ્રેણિ થતી નથી પરંતુ કરણ પૂર્ણ થયા બાદ દેશવિરિત અથવા સર્વવરિત ચારિત્રની સાથે જ એટલે કે જે સમયે દેવતિ અને સર્વવરિત ચારિત્ર પ્રાપ્ત થાય તે જ સમયથી ઉદયાવલિકાના ઉપરના સમયથી માંડીને પૂર્વ પૂર્વ સ્થાન કરતાં ઉત્તરોત્તર અંતર્મુહૂર્તપ્રમાણ સ્થાનમાં અસંખ્યાત અસંખ્યાત ગુણકારે અંતર્મુહૂર્ત કાળપર્યંત ગુણશ્રેણિ-દળ રચના કરે છે. જો કે દેશિવરતિ અને સર્વવિરતિ ગુણઠાણે તે ગુણસ્થાન જ્યાં સુધી ટકી રહે ત્યાં સુધી ગુણશ્રેણિ થાય છે, છતાં અહીં અંતર્મુહૂર્ત કહેવાનું કારણ એ કે, દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થયા પછી અન્તર્મુહૂર્ત કાળ પર્યંત આત્મા અવશ્ય પ્રવર્ધમાન પરિણામી હોય છે. ત્યારપછી ૧. સર્વથા ક્ષય કે સર્વથા ઉપશમ કરવાનો હોય છે ત્યાં જ ત્રીજું અનિવૃત્તિકરણ થાય છે. દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત કરતાં અનુક્રમે અપ્રમત્તાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય કે સર્વથા ઉપશમ કરવો પડતો નથી પરન્તુ ક્ષયોપશમ કરવાનો હોય છે, તે તો અપૂર્વક૨ણે જ થાય છે એટલે અહીં ત્રીજા કરણની જરૂર રહેતી નથી. ૨. અહીં પ્રવર્તમાન પરિણામ કે હીયમાન પરિણામ તે કોની અપેક્ષાએ ? તે વિચારવાનું રહે છે. મને લાગે છે કે તે તે ગુણ પ્રાપ્ત કરતાં શરૂઆતના અંતર્મુહૂર્ત પર્યંત જે ચડતા પરિણામ રહ્યા તેની અપેક્ષાએ
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy