SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ તે જ આ ગાથામાં કહે છે— एवं एकंतरिया हेट्ठवरिं जाव हीणपज्जंते । तत्तो उक्कोसाओ उवरुवरि होइ अनंतगुणा ॥९॥ एवमेकान्तरिता अधस्तादुपरि यावत् हीन पर्यन्तः । तत उत्कृष्ट उपर्युपरि भवन्त्यनन्तगुणाः ॥९॥ અર્થ—આવી રીતે સંખ્યાતમા ભાગથી હેઠે અને ઉપર એકાંતરિત વિશુદ્ધિ અનંતગુણ ત્યાં સુધી કહેવી યાવત્ જઘન્ય વિશુદ્ધિનું છેલ્લું સ્થાન આવે. ત્યારપછી ઉપર ઉપર ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણ કહેવી. ૬૪૭ ટીકાનુ—આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણના સંખ્યાતમા ભાગ પછીથી આરંભીને નીચે અને ઉપર એક સમયની ઉત્કૃષ્ટ, એક સમયની જઘન્ય એમ એકાંતરિત—એક એકના આંતરે અનંતગુણ વિશુદ્ધિ ત્યાં સુધી કહેવી યાવત્ જઘન્યવિશુદ્ધિનું છેલ્લું સ્થાન—યથાપ્રવૃત્તનો ચરમ સમય આવે. આવી રીતે એકાંતરિત જઘન્ય વિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણના ચરમ સમય પર્યંત કહેવાઈ. હવે યથાપ્રવૃત્તકરણના છેલ્લા સંખ્યાતમાભાગમાં—કે જેમાં જઘન્યવિશુદ્ધિ કહેવાય છે પરંતુ ઉત્કૃષ્ટવિશુદ્ધિ નથી કહેવાઈ તે પણ ઉત્તરોત્તર—એક બીજા કરતાં અનંતગુણી કહી જવી. એટલે કે યથાપ્રવૃત્તના ચરમ સમયની જઘન્ય વિશુદ્ધિથી તે જ કરણના છેલ્લા સંખ્યાતમા ભાગના પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ, તેનાથી તે પછીના સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ, એમ ચરમ સમય પર્યંત ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કહેવી. આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણનું સ્વરૂપ કહ્યું. ૯ હવે અપૂર્વકરણના સ્વરૂપને પ્રગટ કરતાં કહે છે— जा उक्कोसा पढमे तीसेणंता जहण्णिया बीए । करणे तीए जेट्ठा एवं जा सव्वकरणंपि ॥१०॥ योत्कृष्ट प्रथमे तस्या अनन्तगुणा जघन्या द्वितीये । करणे तस्या ज्येष्ठा एवं यावत् सर्वकरणमपि ॥१०॥ અર્થ—અપૂર્વકરણના પહેલે સમયે જે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ છે તેના કરતાં બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય છે, તેનાથી તે જ (બીજા) સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી છે. એ પ્રમાણે સંપૂર્ણ કરણ પર્યંત જાણવું. ટીકાનુ—યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે જે ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હોય છે, તેનાથી અપૂર્વકરણના પ્રથમ સમયની જઘન્ય વિશુદ્ધિ પણ અનંતગુણી હોય છે, તેનાથી તે જ પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી હોય છે, તેનાથી બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી તે જ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી હોય છે, તેનાથી ત્રીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી હોય છે, તેનાથી પણ તે જ ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી હોય છે. આ પ્રમાણે દરેક સમયે જઘન્ય-ઉત્કૃષ્ટ વિશુદ્ધિ ત્યાં સુધી કહેવી યાવત્ અપૂર્વકરણ સંપૂર્ણ
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy