SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણાકરણ ૫૪૭ આ સઘળી પુન્ય પ્રકૃતિઓ છે, સયોગીકેવલી જેવા પરમ પવિત્ર આત્માઓ છે, એટલે ઉપરોક્ત પુન્ય પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા સયોગી ગુણસ્થાનકે કહી છે. તથા ઈતર-મતિ-શ્રુત-મન:પર્યવ અને કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, મિથ્યાત્વ, સોળ કષાય, કર્કશ-ગુરુ વર્જીને શેષ અશુભ વર્ણાદિ સાત, અસ્થિર, અને અશુભરૂપ એકત્રીસ અશુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા ચારે ગતિમાંના સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તા ઉત્કૃષ્ટ સંક્લેશે વર્તતા મિથ્યાષ્ટિ આત્માઓ કરે છે. આ સઘળી પાપ પ્રકૃતિઓ છે, તેના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા તીવ્ર સંકલેશે થાય છે, તેવો તીવ્ર સંકલેશ મિથ્યાષ્ટિઓને પર્યાપ્તાવસ્થામાં હોય છે. એટલે અહીં પર્યાપ્ત મિથ્યાદષ્ટિ પ્રહણ કર્યા છે. વળી તીવ્ર સંક્લેશ સંજ્ઞીમાં હોવાથી અહીં ચારે ગતિના સંજ્ઞી લેવા જોઈએ. તથા અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા અવધિજ્ઞાનઅવધિદર્શનાલબ્ધિ વિનાના ચારે ગતિના તીવ્ર સંક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિઓને જાણવી. અવધિજ્ઞાન-દર્શનલબ્ધિયુક્ત આત્માઓને તે ઉત્પન્ન કરતાં વિશુદ્ધ પરિણામને લઈ તેને આવરનાર કર્મના ઘણા રસનો ક્ષય થતો હોવાથી ઉત્કૃષ્ટ રસ સત્તામાં હોતો નથી, એટલે ઉત્કૃષ્ટ રસની ઉદીરણા ક્યાંથી થાય ? માટે અવધિલબ્ધિહીનને ઉત્કૃષ્ટ રસોદીરણા કહી છે. ૬૮ આ પ્રમાણે ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી કહ્યા. હવે જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી કહે છે– सुयकेवलिणो मइसुयचक्खुअचक्खुणुदीरणा मन्दा । विपुलपरमोहिगाणं मणनाणोहीदुगस्सा वि ॥६९॥ श्रुतकेवलिनो मतिश्रुतचक्षुरचक्षुषामुदीरणा मन्दा । .. विपुलपरमावध्योः मनोज्ञानावधिद्विकयोरपि ॥६९॥ અર્થ–મતિ–શ્રુત જ્ઞાનાવરણ, અને ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણના જઘન્ય અનુભાગની ઉદીરણા શ્રુતકેવલીને થાય છે. મન:પર્યવજ્ઞાનાવરણ અને અવધિજ્ઞાન-દર્શનાવરણની જઘન્ય અનુભાગોદીરણા અનુક્રમે વિપુલમતિ અને પરમાવધિજ્ઞાનીને થાય છે. ટીકાનુ–ક્ષીણકષાય ગુણસ્થાનની સમયાધિક આવલિકા શેષ સ્થિતિ રહે ત્યારે શ્રુતકેવલીચૌદ પૂર્વધર ભગવંતને મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ અને અચક્ષુદર્શનાવરણના જઘન્ય અનુભાગની ઉદીરણા થાય છે. તથા ક્ષીણકષાયગુણસ્થાનની સમયાધિક દ્વારા જોઈ જે કહ્યું છે તેને તેમ માનીને આપણે ચાલવાનું છે. એટલે જેટલું બુદ્ધિથી સમજાય તેટલું સમજી બાકીનું જ્ઞાનીને ભળાવવું તે જ યોગ્ય છે. ૧. પાપ પ્રકૃતિઓના જધન્ય અનુભાગની ઉદીરણા વિશુદ્ધ પરિણામે થાય છે. એટલે તે તે પ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણાને યોગ્ય વિશુદ્ધિ સ્થાન ક્યાં હોય, તે વિચારી જઘન્ય અનુભાગની ઉદીરણા કહેવાની હોય છે, જે અહીં કહી છે. એ પ્રમાણે પુન્ય પ્રવૃતિઓના જધન્ય અનુભાગની ઉદીરણા સંક્લેશ પરિણામે સમજવી.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy