SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પંચસંગ્રહ-૨ પ્રશ્ન-ધ્રુવ શૂન્યવર્ગણા એટલે શું? ઉત્તર–જે વર્ગણાઓ આ જગતમાં કોઈ દિવસ હોતી જ નથી. એટલે કે અધુવાચિત્ત ઉત્કૃષ્ટ વર્ગણાથી પ્રત્યેકશરીરી જઘન્ય વર્ગણા સુધીમાં ચડતા ચડતા પરમાણુવાળી કોઈપણ વર્ગણાઓ કોઈ દિવસ જગતમાં હોતી જ નથી, તેથી તે ધ્રુવશુન્યવર્ગણા કહેવાય છે. આગળ પણ ધ્રુવશૂન્ય વર્ગણા માટે આ પ્રમાણે સમજવું. ઉત્કૃષ્ટ ધ્રુવશૂન્યવર્ગણાથી એક અધિક પરમાણુવાળી પહેલી પ્રત્યેક શરીરીવર્ગણા, બે અધિક પરમાણુવાળી બીજી પ્રત્યેકશરીરીવર્ગણા, એમ એક એક વધારતાં ત્યાં સુધી કહેવું કે પ્રત્યેકશરીરી ઉત્કૃષ્ટવર્ગણા થાય. જઘન્યવર્ગણાથી ઉત્કૃષ્ટવર્ગણા અસંખ્યાતગુણ પરમાણુવાળી છે. એટલે કે જઘન્યવર્ગણામાં જેટલા પરમાણુ છે તેને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તે અસંખ્યાતે ગુણીએ અને જેટલા થાય તેટલા પરમાણુઓ પ્રત્યેકશરીરી ઉત્કૃષ્ટ વર્ગણામાં હોય છે. પ્રશ્ન–પ્રત્યેક શરીરીવર્ગણા એટલે શું ? ઉત્તર–પ્રત્યેક નામકર્મના ઉદયવાળા જીવોને યથાસંભવ સત્તામાં રહેલ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણનામકર્મનાં પુદ્ગલોને અવલંબીને સર્વજીવથી અનંતગુણપરમાણુવાળી જે વર્ગણાઓ રહી છે તે પ્રત્યેક શરીરીવર્ગણા કહેવાય છે. આ વર્ગણાઓને આત્મા કોઈ કર્મના ઉદયથી ગ્રહણ કરતો નથી પરંતુ વિશ્રસાપરિણામ વડે જ ઔદારિકાદિ પાંચ શરીરનામકર્મનાં પુગલોને અવલંબીને રહેલ છે. શતકચૂર્ણિમાં કહ્યું છે કેપ્રત્યેક નામકર્મના ઉદયવાળા જીવોને ઔદારિક આદિ પાંચ શરીરનામકર્મના જે કર્માણુઓ સત્તામાં રહ્યા છે તેના એક એક પ્રદેશે સર્વજીવ કરતાં અનંતગુણ પરમાણુવાળી જે વર્ગણાઓ વિશ્રસાપરિણામ વડે ઉપચિત થયેલ છે–અવલંબીને રહી છે તે પ્રત્યેક વર્ગણા કહેવાય છે. પ્રશ્ન–જઘન્ય પ્રત્યેક વર્ગણાથી ઉત્કૃષ્ટ પ્રત્યેક વર્ગણામાં સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આકાશપ્રદેશો વડે ગુણતાં જેટલા પરમાણુઓ થાય તેટલા પરમાણુઓ હોય છે એ ઉપર કહ્યું છે તો અહીં સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગે ગુણવાનું કારણ શું ? ઉત્તર–કાશ્મણ વર્ગણાઓનું ગ્રહણ યોગને અનુસરીને થાય છે. જઘન્ય યોગ હોય ત્યારે થોડી વર્ગણાઓનું ગ્રહણ થાય છે અને ઉત્કૃષ્ટ યોગ હોય ત્યારે ઘણી વર્ગણાઓનું ગ્રહણ થાય છે. જઘન્યયોગસ્થાનકથી ઉત્કૃષ્ટયોગસ્થાનક સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ગુણતા જેટલું થાય તેટલું હોય છે. તેથી કમેવગણાઓનું ગ્રહણ પણ સૂક્ષ્મક્ષેત્રોપલ્યોપમના અસંખ્યાતમા ભાગે ગુણતાં જે આવે તેટલું જ થાય છે. જઘન્યયોગે પણ આત્મા અનંત વર્ગણાઓને જ ગ્રહણ કરે છે. જઘન્યયોગે જેટલી વર્ગણા ગ્રહણ કરે છે તેને સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશોએ ગુણતાં જેટલી થાય તેટલી વર્ગણાઓ ઉત્સુયોગે ગ્રહણ કરે છે. એટલે જ્યારે જઘન્યયોગ હોય અને કર્મયોગ્ય વર્ગણાઓનું ગ્રહણ અલ્પ થાય ત્યારે જઘન્ય પ્રત્યેક શરીરીવર્ગણાઓ પ્રાપ્ત થાય છે અને જ્યારે યોગ ઉત્કૃષ્ટ હોય અને કર્મયોગ્ય વર્ગણાઓનું વધારે
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy