SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ પંચસંગ્રહ-૨ તેની નીચે નીચેનાં સ્થિતિસ્થાનોના રસની ઉદ્વર્તન થાય ત્યારે તે તે સ્થિતિસ્થાનની ઉપર આવલિકા પ્રમાણ સ્થિતિગત રસસ્પદ્ધકો છોડી તેની ઉપર નવીન બધ્યમાન પ્રકૃતિના ચરમ સમય સુધીનાં સ્થિતિસ્થાનોમાં રહેલ અનુભાગ રૂદ્ધકોમાં નિક્ષેપ થાય છે. તેથી જેમ સ્થિતિ ઉદ્વર્તનામાં અબાધાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદ્ધના થાય ત્યારે તેની ઉપર આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી બધ્યમાન સ્થિતિના ચરમસમય સુધીનાં દરેક સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. તેમ રસ ઉદ્વર્તનામાં અબાધાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનગત રસસ્પદ્ધકોની ઉદ્વર્તન થાય ત્યારે તે સ્થિતિસ્થાનની ઉપરના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનગત રસસ્પદ્ધકો છોડી બધ્યમાન સ્થિતિના ચરમ સમય સુધીના દરેક સ્થિતિસ્થાનગત રસસ્પદ્ધકોમાં તેનો નિક્ષેપ થાય છે. જો કે વ્યાઘાત અનુભાગ ઉર્વનામાં વ્યાઘાતસ્થિતિ ઉદ્વર્તનાની જેમ જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના એ બંને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં રહેલ અનંત રસસ્પદ્ધક પ્રમાણ હોય છે. તોપણ નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો ઉપરનાં છે, અને અતીત્થાપનાના વિષયભૂત સ્થિતિસ્થાનો તેની નીચેનાં છે અને ઉપર ઉપરનાં સ્થિતિસ્થાનોથી નીચે નીચેનાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોમાં રસ ઓછો ઓછો હોય છે. તેથી નિક્ષેપના વિષયભૂત અનુભાગથી અતીત્થાપના રૂપ અનુભાગ હીન હોય એમ લાગે છે. પણ કેટલો હીન હોય છે તે બહુશ્રુતો જાણે. તેનાથી આવલિકારૂપ ઉત્કૃષ્ટ અતીત્થાપનાગત રૂદ્ધકો અનંતગુણ, તેનાથી ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગ રૂદ્ધકો અનંતગુણ અને તેથી પણ સર્વસત્તાગત અનુભાગ વિશેષાધિક હોય છે. અનુભાગ અપવર્તના અહીં પણ સ્થિતિ અપવર્તનાની જેમ બંધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકાની ઉપરનાં સ્થિતિસ્થાનોમાં રહેલ રસસ્પદ્ધકોની જ અપવર્ણના થાય છે. તેથી ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિગત રસસ્પદ્ધકોની અપવર્તન કરે ત્યારે તે દલિકોના રસસ્પર્ધકોને તેની નીચેના સમયગૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનોગત સ્પદ્ધકોને છોડી તેની નીચેના આવલિકાના સમયાધિક ત્રીજા ભાગના સમયપ્રમાણ સ્થિતિસ્થાનોનાં દલિકોમાં રહેલ રસની સમાન ઓછા રસવાળા કરે છે. અર્થાત્ તેમાં નિક્ષેપ કરે છે. અને સત્તાગત અંતિમ સ્થિતિસ્થાનના અનુભાગની અપવર્તન કરે ત્યારે તેની નીચેના આવલિકાના સમય પ્રમાણ સ્થિતિગત રસસ્પદ્ધકોને છોડી તેની નીચેના ઉદયના પ્રથમ સ્થિતિસ્થાન સુધીનાં બધાં સ્થિતિસ્થાનોમાં રહેલ અનુભાગ રૂદ્ધકોમાં નિક્ષેપ કરે છે. અર્થાત્ તેની સમાન ઓછો રસ કરે છે. માટે અનુભાગ અપવર્તનામાં ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનોમાં રહેલ શરૂઆતના અનંતા રસસ્પદ્ધકોની અપવર્ણના થતી નથી અને બંધાવલિકા વીત્યા પછી જ અપવર્તન થાય છે. માટે બે આવલિકાયૂન સંપૂર્ણ સત્તાગત સ્થિતિના અનુભાગની અપવર્તન થઈ શકે છે. અપવર્તનાનો બંધ સાથે સંબંધ ન હોવાથી જે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે તે સ્થિતિસ્થાનોની સમાન રસ ઓછા થાય છે. અને કેટલીક વાર તેનાથી પણ અલ્પ રસ થઈ જાય છે. ગુરુગમથી આ હકીકત વિશેષપણે જાણવા જેવી છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy