SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ઉર્તના અપવર્તનાકરણ સારસંગ્રહ ૪૭૯ એમ એક-એક સમયે અધિક કરતાં યાવત્ બાર સમય અધિક દશ હજાર સમય પ્રમાણ નવો સ્થિતિબંધ થાય ત્યાં સુધી દશ હજારમાં સ્થિતિસ્થાનની ઉદ્ધવર્ણના કરી તેનાં દલિકોનો તેની ઉપરના એક-એક સમય અધિક કરતાં યાવત્ દશ હજાર નવ સમય સુધીનાં આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના દશ હજાર દશથી દશ હજાર બાર સુધીનાં ત્રણ સ્થિતિસ્થાનોમાં જ નિક્ષેપ થાય છે એટલે અતીત્થાપના રૂપ આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી માત્ર અતીત્થાપના વધે છે, પરંતુ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ તેટલી જ રહે છે અને અતીત્થાપના રૂપ આવલિકા પૂર્ણ થયા બાદ જેમ-જેમ નવો સ્થિતિબંધ વધે છે તેમ તેમ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ વધે છે પણ અતીત્થાપના તેટલી જ રહે છે. તેથી તેર સમયાધિક દશ હજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે પૂર્વબદ્ધ સત્તાગત દશ હજારમા સ્થિતિસ્થાનની ઉદ્ધના કરી તેની ઉપરના નવ સમયો છોડી દશ હજારદશથી દશ હજાર તેર સુધીનાં ચાર સ્થિતિસ્થાનોમાં, ચૌદ સમયાધિક દશ હજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે દશ હજાર દશથી દશ હજાર ચૌદ સુધીનાં પાંચ સ્થિતિસ્થાનોમાં અને પંદર સમયાધિક દશ હજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે દશ હજાર દશથી દશ હજાર પંદર સુધીનાં છ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. એમ એક એક સમય અધિક કરતાં યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યાં સુધી માત્ર નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ જ વધે છે પરંતુ અતીસ્થાપના તેટલી જ રહે છે તેથી વ્યાઘાત ઉદ્વર્તનામાં જે જે સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થાય તે તે સ્થિતિસ્થાનનાં દલિકોનો તેની ઉપરનાં એક આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી બધ્યમાન લતાના ચરમસ્થિતિસ્થાન સુધીનાં દરેક સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અર્થાત તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવાની યોગ્યતાવાળાં કરે છે.. સ્થિતિ ઉદ્વર્તનાના પદાર્થોનું અલ્પ-બહુત્વ : : વ્યાઘાત ઉદ્વર્તનામાં જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના બને આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવાથી તે બન્ને આગળ બતાવાતા પદાર્થોથી અલ્પ અને પરસ્પર સમાન છે. તે થકી આવલિકા રૂપ અતીત્થાપના અસંખ્યાતગુણ છે તેનાથી ઉત્કૃષ્ટ અતીત્થાપના ઉત્કૃષ્ટ અબાધારૂપ હોવાથી સંખ્યાતગુણ છે. તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ સમયાધિક આવલિકા સહિત ઉત્કૃષ્ટ અબાધા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે અને તે થકી સંપૂર્ણ કર્મસ્થિતિ વિશેષાધિક છે, કારણ કે તેમાં સમયાધિક આવલિકા સહિત અબાધા પણ આવી જાય છે. તેથી સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ છે. સ્થિતિ અપવર્તન : અપવર્તનાનો બંધ સાથે સંબંધ ન હોવાથી તે તે પ્રકૃતિનો બંધ હોય કે ન હોય તોપણ સત્તાગત સ્થિતિઓની સદા અપવર્નના ચાલુ જ હોય છે. અને તે નિર્ચાઘાત અપવર્નના કહેવાય છે. બંધાવલિકામાં કોઈ પણ કરણ લાગતું ન હોવાથી બંધાવલિકા વીત્યા બાદ તરત જ ઉદયાવલિકા શરૂ થાય છે પરંતુ ઉદયાવલિકામાં પણ કોઈ કરણ લાગતું ન હોવાથી
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy