SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ પંચસંગ્રહ-૨ છે તેના તથા નીચેના અતીત્થાપનાવલિકા પ્રમાણ જે સ્થિતિસ્થાનકો છે તેના રસસ્પદ્ધકની ઉદ્વર્તના તથાસ્વભાવે કરતો નથી. પરંતુ તેની નીચેના સમયમાત્ર સ્થિતિગત જે સ્પદ્ધકો છે, તેની ઉદ્વર્તના કરે છે. અને કરીને અતીત્થાપનાવલિકા ગત અનન્ત સ્પર્તકો ઓળંગી ઉપરના છેવટના આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલા સ્પદ્ધકોમાં નાખે છે. એટલે કે ઉદ્વર્તમાન રસસ્પદ્ધકો નિક્ષેપના સ્પદ્ધકોના સમાન રસવાળા કરે છે. એ પ્રમાણે જેમ જેમ નીચે નીચે ઊતરે છે તેમ તેમ : નિક્ષેપ વધે છે. અતીત્થાપના સર્વત્ર આવલિકા પ્રમાણ સ્થિતિ સ્થાનગત સ્પદ્ધકો જ રહે છે. એ પ્રમાણે જે જે સ્થાનગત રસ રૂદ્ધકોની ઉદ્વર્તન કરે છે. તેને તેની ઉપરના સ્થિતિસ્થાનગત સ્પદ્ધકથી આરંભી આવલિકા પ્રમાણ સ્થાનગત સ્પદ્ધકો ઓળંગી ઉપરના સ્થાનમાં નાખે છે એટલે કે તેની સમાન રસવાળા કરે છે. એ રીતે વ્યાઘાતભાવે જે સ્થિતિઓની ઉદ્વર્તન કરે છે, તેના રસસ્પદ્ધકોની પણ ઉદ્વર્તન કરે છે. અને ઉદ્વર્યમાન દલિકો જ્યાં નાખે છે. રસસ્પદ્ધકો પણ ત્યાં નાખે છે, એટલે કે તેની સમાન રસવાળા કરે છે. એ પ્રમાણે વ્યાઘાતમાં પણ સમજવું. હવે ઉત્કૃષ્ટ નિક્ષેપ કેટલો છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે_બંધાવલિકા વીત્યા બાદ સમયાધિક આવલિકાગત સ્પદ્ધકો છોડી શેષ સઘળા સ્પદ્ધકો નિક્ષેપના વિષયરૂપ છે. તે જ હકીકતને સ્પષ્ટ કરે છે–જે સ્થિતિસ્થાનમાંહેના સ્પદ્ધકોની ઉદ્વર્તન કરે છે, તે સ્થાનમાંહેના સ્પર્ધકોનો તે સ્થાનમાં જ નિક્ષેપ કરતો નથી, તેથી તે ઉદ્વર્યમાન સ્થિતિસ્થાનગત સ્પર્ધકોને, આવલિકામાત્રગત સ્પર્તકો અતીત્થાપના છે તેથી આવલિકા પ્રમાણ સ્થાન ગત સ્પદ્ધકોને તથા બંધાવલિકા વ્યતીત થયા પછી જ કરણ યોગ્ય થાય તેથી તે બંધાવલિકાને, કુલ સમયાધિક બે આવલિકાગત સ્પર્બકો છોડી શેષ સઘળા સ્થાનગત સ્પર્તકો નિક્ષેપના વિષધરૂપ થાય છે. (તથા જેટલી સ્થિતિઓ ઉદ્વર્તનના વિષયરૂપ છે તેટલી સ્થિતિ માંહેના રસસ્પદ્ધકો પણ ઉદ્વર્તનાના વિષયરૂપ છે.) હવે આ વિષયમાં અલ્પબદુત્વ કહે છે–જઘન્યનિક્ષેપ સર્વથી અલ્પ છે. કેમ કે તે માત્ર આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સ્પર્ધ્વકના વિષયરૂપ છે. તેનાથી અતીત્થાપના અનંતગુણ છે. કેમ કે નિક્ષેપના વિષયરૂપ પદ્ધકોથી અતીત્થાપનાવલિકાના વિષયરૂપ સ્પર્ધ્વકો અનંતગુણ છે. એ પ્રમાણે સર્વત્ર રસના વિષયમાં અનંતગુણપણું સ્પર્ધ્વકની અપેક્ષાએ સમજવું. તેનાથી ઉત્કૃષ્ટ નિક્ષેપ અનંતગુણ છે. તેનાથી કુલ અનુભાગ વિશેષાધિક છે. આ રીતે રસદ્વર્તનાનું સ્વરૂપ કહ્યું. હવે અતિદેશ-ભલામણ દ્વારા રસાપવર્તનાનું સ્વરૂપ કહે છે. જે રીતે ઉપર રસની ઉદ્વર્તના કહી તે રીતે રસની અપવર્તના પણ કહેવી. માત્ર ઉદય આરંભી સ્થિતિની અપવર્તનની જેમ કહેવી. તાત્પર્ય એ કે જે સ્થિતિસ્થાનકની અપવર્તન થાય છે, તે સ્થિતિસ્થાનમાંહેના રસસ્પદ્ધકોની પણ અપવર્તન થાય છે. અને અપવર્તમાન સ્થિતિનાં દલિકો જેમાં નાખે છે, રસસ્પદ્ધકોનો પણ તેમાં નિક્ષેપ કરે છે. એટલે કે અપવર્ધમાન રસસ્પદ્ધકોને નિક્ષેપના સ્પદ્ધકોની
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy