SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ પંચસંગ્રહ-૨ સર્વોપરિતન સ્થિતિસ્થાન આશ્રયી ઉત્કૃષ્ટ નિક્ષેપ સંભવે છે. ટીકાનુ–જ્યારે ઉદયાવલિકા ઉપરની સ્થિતિની અપવર્તન કરે ત્યારે તે અપવર્તનીય સ્થાન આશ્રયી સમયાધિક આવલિકાના એક તૃતીયાંશ ભાગરૂપ જઘન્ય નિક્ષેપ સંભવે છે. કેમ કે ઉદયાવલિકા ઉપરની સ્થિતિની અપવર્તન કરે ત્યારે તેના દલિકને સમયન્યૂન આવલિકાના એક તૃતીયાંશ ભાગમાં નાખે છે. અને જયારે સત્તાગત સ્થિતિમાંહેની ઉપરની-છેલ્લી સ્થિતિની અપવર્તન કરે ત્યારે તે સ્થિતિ સ્થિતિસ્થાન આશ્રયી યથાક્તરૂપ ઉત્કૃષ્ટ નિક્ષેપ સંભવે છે. કેમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાવલિકા ગયા બાદ તેની અપવર્તન કરી શકે છે. બંધાવલિકા ગયા બાદ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં હોય છે. તેમાંની છેલ્લી સ્થિતિની અપવર્તન કરે ત્યારે તેનાં દલિકોને અપવર્ધમાન સ્થિતિસ્થાનકની નીચેના સ્થિતિસ્થાનકથી આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનકો છોડી નીચેનાં તમામ સ્થાનકોમાં નાખે છે. આ પ્રમાણે છેલ્લા સ્થિતિસ્થાન આશ્રયી સમયાધિક બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ નિક્ષેપ સંભવે છે. ૧૨ આ ગાથામાં જેટલી સ્થિતિઓ નિક્ષેપના વિષયરૂપ છે, તે અને જેટલી સ્થિતિઓ અપવર્તનીય હોય છે, તે કહે છે – समयाहियइत्थवणा बंधावलिया य मोत्तु निक्खेवो । ... कम्मटिइ बंधोदयआवलिया मोत्तु ओवट्टे ॥१३॥ समयाधिकामतिस्थापनां बंधावलिकां च मुक्त्वा निक्षेपः । સ્થિતિઃ વંથો યાનિવ મુવવીપવર્નયતિ શરૂા , અર્થ–સમયાધિક અતીત્થાપનાવલિકા અને બંધાવલિકા છોડી શેષ સ્થિતિ નિક્ષેપના વિષયરૂપ છે. તથા બંધાવલિકા અને ઉદયાવલિકા છોડી શેષ સ્થિતિની અપવર્તન કરે છે. ટીકાનુ–રાપવર્તનાના વિષયમાં સમયાધિક અતીત્થાપનાવલિકા અને બંધાવલિકા પ્રમાણ સ્થિતિઓ છોડી શેષ સઘળી સ્થિતિઓ નિક્ષેપના વિષયરૂપ છે–એટલે કે શેષ સઘળી સ્થિતિઓમાં દળનિક્ષેપ કરે છે. કારણ કે પ્રતિસમય બંધાયેલું કર્મ બંધાવલિકા ગયા બાદ કરણ યોગ્ય થાય છે, બંધાવલિકા ન વતી હોય ત્યાં સુધી નહિ. વળી જે સ્થાનકની અપવર્તન કરે છે, તેના દલિકને તેમાં જ નાખતો નથી પરંતુ તેની નીચેના સ્થિતિસ્થાનકથી એક આવલિકા પ્રમાણ સ્થાનકો છોડી નીચેનાં તમામ સ્થાનકોમાં નાખે છે. માટે બંધાવલિકા અને સમયાધિક અતીત્થાપનાવલિકા છોડી શેષ સઘળી સ્થિતિઓ નિક્ષેપના વિષયરૂપ છે, એમ કહ્યું છે. તથા બંધાવલિકા અને ઉદયાવલિકા છોડી શેષ સઘળી કર્મસ્થિતિની અપવર્ણના કરી શકે છે, કેમ કે બંધાવલિકા ગયા બાદ બદ્ધસ્થિતિને અપવર્તે છે અને તે પણ ઉદયાવલિકા ઉપર રહેલ સ્થિતિને અપવર્તે છે, ઉદયાવલિકા અંતર્ગત સ્થિતિને નહિ. માટે બંધાવલિકા તથા ઉદયાવલિકા હીન સંપૂર્ણ કર્મસ્થિતિ એ અપવર્નનાના વિષયરૂપ છે. આ પ્રમાણે નિર્વાઘાતે અપવર્તનાનો પ્રકાર કહ્યો. ૧૩
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy