SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૯ एगपएसाइ अणंतजाओ होऊण होति उरलस्स । अज्जोगंतरियाओ उ वग्गणाओ अणंताओ ॥१४॥ एकप्रदेशाद्या अनंतजा भूत्वा भवंति उरलस्य । अयोग्यान्तरितास्तु वर्गणा अनन्ताः ॥१४॥ અર્થ–એક પ્રદેશથી માંડી અનંત પરમાણુની બનેલી વર્ગણાઓને ઓળંગીને ઔદારિક યોગ્ય વર્ગણા થાય છે. ત્યારપછીથી અગ્રહણ પ્રાયોગ્ય જેની વચમાં રહી છે એવી અનંતવર્ગણાઓ થાય છે. ૧૪ ટીકાનુ–એક પરમાણુથી લઈને યાવતુ અનંતપરમાણુની બનેલી વર્ગણાઓ ઓળંગીને ત્યારપછીની વર્ગણાઓ ઔદારિકશરીરને યોગ્ય થાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે એક પરમાણુરૂપ વર્ગણા, બે પરમાણુની બનેલી વર્ગણા, ત્રણ પરમાણુની બનેલી વર્ગણા, એમ વધતા વધતા સંખ્યાતા પરમાણુની બનેલી વર્ગણા, અસંખ્યાતા અને અનંતા પરમાણુની બનેલી વર્ગણાઓ જીવને ગ્રહણ યોગ્ય થતી નથી. તથા અનંતાનંત પરમાણુની બનેલી વર્ગણાઓમાંની પણ કેટલીક ગ્રહણ યોગ્ય છે, કેટલીક ગ્રહણ યોગ્ય નથી. તેમાં પરમાણુરૂપ વર્ગણા તે પરમાણુવર્ગણા કહેવાય છે. એટલે કે આ જગતમાં જેટલા છૂટા પરમાણુઓ છે તે દરેક વર્ગણારૂપ છે. આ પ્રશ્ન–ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે અનંતાનંત પરમાણુઓનો જે પિંડ તે વર્ગણા કહેવાય છે તો છૂટા પરમાણુઓમાં વર્ગણા શબ્દનો વ્યવહાર શી રીતે થઈ શકે ? ઉત્તર–પ્રત્યેક પરમાણુ અનંતપર્યાય યુક્ત છે તેથી, તથા પરમાણુઓમાં પિંડ થવાની શક્તિ છે તેથી દરેક છૂટા પરમાણુઓમાં વર્ગણા શબ્દનો વ્યવહાર કરાય છે. તે વર્ગણાઓ અનન્ત છે અને સંપૂર્ણ લોકવ્યાપ્ત છે. બે પરમાણુના સમુદાયરૂપ ઢિપરમાણુસ્કન્ધવર્ગણા કહેવાય છે. તે પણ અનન્ત છે અને સંપૂર્ણ લોકવ્યાપ્ત છે. ત્રણ પરમાણુના પિંડરૂપ ત્રિપરમાણુસ્કલ્પવર્ગણા એ જ પ્રમાણે ચતુ.પરમાણુસ્કન્ધવર્ગણા. એમ એક એક વધતા વધતા સંખ્યાતા પરમાણુની બનેલી સંખ્યાતી વર્ગણા. અસંખ્યાતપરમાણુના સમુદાયરૂપ અસંખ્યાતીવર્ગણા અને અનન્તપરમાણુના પિંડરૂપ ચડતા ચડતા પરમાણુવાળી અનન્ત વર્ગણાઓ થાય છે. આ દરેક વર્ગણાઓ સ્વજાતિની અપેક્ષાએ અનંત છે અને સંપૂર્ણ લોકવ્યાપ્ત છે. ૧. પંચકર્મગ્રંથમાં દેવેન્દ્રસૂરિ મહારાજે જગતમાંના તમામ છૂટા પરમાણુની એક વર્ગણા કહી છે, તેમજ બે પરમાણુના બનેલા જેટલા સ્કંધો છે તેની પણ એક વર્ગણા કહી છે. આવી રીતે સ્વજાતીય સ્કંધોના સમૂહની એક એક વર્ગણા કહી છે. અહીં જગતમાંના તમામ છૂટા પરમાણુઓને ભિન્ન ભિન્ન વર્ગણારૂપે કહ્યા છે એમ જ બે પરમાણુઓના જેટલા સ્કંધો છે તે દરેકને પણ ભિન્ન ભિન્ન વર્ગણારૂપે કહેલ છે. આવી રીતે સ્વજાતીય તમામ સ્કંધોને ભિન્ન ભિન્ન વર્ગણારૂપે કહેલ છે. અહીં જો કે વિરોધ લાગે છે પણ વાસ્તવિક રીતે વિરોધ નથી. કારણ કે કર્મપ્રકૃતિ પંચસંગ્રહમાં વર્ગણા અને અંધને એક જ અર્થમાં ગ્રહણ કરેલ છે ત્યારે દેવેન્દ્રસૂરિ મહારાજે સ્કંધના સમૂહને વર્ગણા કહી છે એમ મને લાગે છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy