SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ પંચસંગ્રહ-૨ થાય છે. આ દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. ૯૫ની સત્તાવાળાને દેવદ્ધિકની ઉઠ્ઠલના થયા બાદ ૯૩ અથવા ૮૪ની સત્તાવાળાને વૈક્રિયસપ્તક તથા દેવદ્રિક અથવા વૈક્રિયસપ્તક અને નરકદ્ધિક એ નવનો બંધ થાય ત્યારે ૯૩, અને ૯૩માંથી નરકદ્ધિક અને વૈક્રિયસપ્તક એ નવની ઉઠ્ઠલના થાય ત્યારે ૮૪, અથવા ૮૨ની સત્તાવાળાને મનુષ્યદ્ધિકનો બંધ થાય ત્યારે ૮૪, અને તેમાંથી મનુષ્યદ્ધિકની ઉત્કલના થાય ત્યારે ૮૨નું સત્તાસ્થાન થાય છે. આ ત્રણ સત્તાસ્થાનોને અધુવ સત્તાસ્થાન કહેવાય છે. ૮૨નું સત્તાસ્થાન, ૯૫ની સત્તાવાળાને ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા બાદ અને ૮૪ની સત્તાવાળા તેઉકાય-વાયુકાયને મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના થયા બાદ–એમ બે રીતે આવે છે, તેથી બન્નેમાં પ્રકૃતિઓ ભિન્ન હોવા છતાં પ્રકૃતિઓની સંખ્યા સમાન હોવાથી એક જ ગણાય છે. આ દશ સત્તાસ્થાનોમાંથી ૯૦ અને ૮૩ એ બે સત્તાસ્થાનો સંક્રમમાં આવતાં નથી. તેનું કારણ આગળ સમજાવશે. તે સિવાયનાં આઠ સત્તાસ્થાનો સંક્રમમાં છે. તેમજ ૯ અને ૮ પ્રકૃતિરૂપ બે સત્તાસ્થાનો ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે હોવાથી પતગ્રહના અભાવે સંક્રમરૂપે થતા નથી તથા ૧૦૧, ૯૪, ૮૮ અને ૮૧ આ ચાર સંક્રમસ્થાનો સત્તાસ્થાનોથી અતિરિક્ત છે તેથી સત્તાસ્થાનોની જેમ કુલ સંક્રમસ્થાનો પણ બાર છે. ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧ પ્રકૃતિરૂપ જે આઠ બંધસ્થાનો છે, તે જ આઠ પતઘ્રહ સ્થાનો છે. નામકર્મનાં પતગ્રહોમાં સંક્રમસ્થાનો હવે કયા કયા પદ્મોમાં કેટલાં અને કયાં ક્યાં સંક્રમસ્થાનો હોય છે, તે કહે છે.. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દસમા ગુણસ્થાનક સુધી એક યશકીર્તિ બંધાય છે તેથી યશકીર્તિરૂપ ૧ પ્રકૃતિનું પતઘ્રહ હોય છે. પરંતુ ત્યાં તે સિવાય નામ કર્મની બીજી કોઈ પ્રકૃતિ બંધાતી ન હોવાથી યશકીર્તિનો સંક્રમ થતો નથી. | સામાન્યથી અનેક જીવો આશ્રયી ઉપશમશ્રેણિમાં આઠમા ગુણઠાણાથી દશમા ગુણઠાણા સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણે નામ કર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી ૧૦૩ વગેરે પ્રથમનાં ચાર સત્તાસ્થાનો હોય છે અને ક્ષપકશ્રેણિમાં નવમાં ગુણઠાણે ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા પછી દશમા ગુણઠાણા સુધી ૯૦, ૮૯, ૮૩, ૮૨ એ ચાર સત્તાસ્થાનો હોય છે. તેથી આઠમા ગુણઠાણાના સાતમા ભાગથી ઉપશમશ્રેણિમાં દસમા ગુણઠાણા સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી યશકીર્તિ રૂપ ૧ના પતધ્રહમાં ૧૦૩, ૧૦૨, ૯૬ અને ૯૫ની સત્તાવાળા જીવોને યશકીર્તિ વિના ક્રમશઃ ૧૦૨, ૧૦૧, ૯૫ અને ૯૪ પ્રકૃતિરૂપ ચાર, અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ૯૦, ૮૯, ૮૩ અને ૮૨ની સત્તાવાળા જીવોને યશકીર્તિ વિના ક્રમશઃ ૮૯, ૮૮, ૮૨ અને ૮૧ પ્રકૃતિરૂપ ચાર, એમ કુલ આઠ સંક્રમસ્થાનો હોય છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy