SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ निद्राद्विकस्य साधिकावलिकाद्विकं तु साधिके त्र्यंशे । हास्यादीनां संख्येया वत्सरास्ते च क्रोधे ॥४८॥ અર્થ–નિદ્રાદ્ધિકની સમયમાત્રસ્થિતિને જે સાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે છે તે તેનો જઘન્ય સંક્રમ છે. યસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગે અધિક બે આવલિકા છે. તથા હાસ્યાદિનો જે સંખ્યય વરસ પ્રમાણ સંક્રમ થાય છે તે તેનો જઘન્ય સંક્રમ છે અને તે ક્રોધમાં થાય છે. ટીકાનુ–નિદ્રા અને પ્રચલારૂપ નિદ્રાદ્ધિકની પોતાની સ્થિતિની ઉપરની એક સમય માત્ર સ્થિતિને પોતાના સંક્રમના અંતે ઉદયાવલિકા નીચેના સમયાધિક ત્રીજા ભાગમાં જે સંક્રમાવે છે તે તેનો જઘન્ય સ્થિતિસંક્રમ છે. તાત્પર્ય આ પ્રમાણે છે–ક્ષીણકષાય વીતરાગ છઘ0 ગુણસ્થાનકે ક્ષય કરતાં કરતાં નિદ્રાદ્ધિકની આવલિકાના અસંખ્યાતમા ભાગે અધિક બે આવલિકા પ્રમાણ સ્થિતિ સત્તામાં શેષ રહે ત્યારે સૌથી ઉપરની સમય-પ્રમાણ સ્થિતિને અપવર્ણના કરણ વડે નીચેના ઉદય સમયથી આરંભી ઉદયાવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં જે સંક્રમાવે છે તે નિદ્રાદ્ધિકનો જઘન્ય સ્થિતિસંક્રમ કહેવાય છે. અને તેનો સ્વામી ક્ષીણ કષાય વીતરાગ આત્મા છે. તે વખતે યસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગે અધિક બે આવલિકા છે. અહીં વસ્તુસ્વભાવ જ એ છે કે નિદ્રાદ્ધિકની આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક બે આવલિકા પ્રમાણે સ્થિતિ સત્તામાં શેષ રહે ત્યારે ઉપરની એક સમય પ્રમાણ અપવર્ણના કરણ વડે સંક્રમે છે, પરંતુ મતિજ્ઞાનાવરણીયાદિની જેમ સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે નહિ. અહીં મતિજ્ઞાનાવરણીયાદિમાં સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિની સત્તા શેષ રહે ત્યાં સુધી અપવર્ણના થાય છે ત્યારે નિદ્રાદ્રિકમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક બે આવલિકા રહે ત્યાં સુધી થાય છે. કારણ જીવસ્વભાવ છે. . અનિવૃત્તિ બાદરગુણસ્થાનકે વર્તમાન ક્ષેપક આત્માને હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા એ હાસ્યપર્કનો ક્ષય થતા સંખ્યાત વર્ષપ્રમાણ સ્થિતિ સત્તામાં શેષ રહે છે તે સંખ્યાત વર્ષપ્રમાણ સ્થિતિનો જે સંજવલન ક્રોધમાં સંક્રમ થાય છે તે તેનો જઘન્ય સ્થિતિસંક્રમ છે. તેના સ્વામી નવમી ગુણસ્થાનકવર્તી આત્મા છે. તે વખતે તેની સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક સંખ્યાતા વર્ષપ્રમાણ છે. કારણ કે અંતરકરણમાં વર્તતા છતા તે સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિને સંજવલન ક્રોધમાં સંક્રમાવે છે. અંતરકરણમાં કર્મદલિક હોતા નથી પરંતુ તેનાથી ઉપર હોય છે. કારણ કે તે દલિક વિનાની શુદ્ધ ભૂમિકા છે. માટે અંતરકરણના કાલથી અધિક સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિ જઘન્ય સ્થિતિ સંક્રમકાળે હાસ્યષર્કની સ્થિતિ છે. આ સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિને અપવર્ણના કરણ વડે અપવર્તાને સંજવલનક્રોધની ઉદયાવલિકામાં સક્રમાવ છે એમ સમજવું. અન્યથા–જો એમ ન હોય તો સ્થિતિ ઘણી હોવાથી ઉદયાવલિકાના ઉપરના ભાગમાં પણ પ્રક્ષેપ થાય અને તેમ થાય તો “અન્ય પ્રકૃતિનો ઉદયાવલિકામાં જે છેલ્લો સંક્રમ થાય તે જધન્યસંક્રમ કહેવાય’ એ પૂર્વે કહેલા વચનની સાથે વિરોધ આવે. માટે સંખ્યાત વર્ષપ્રમાણ પંચ૦૨-૩૮
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy