SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પંચસંગ્રહ-૨ તથી સાત આઠ, ચાર, દશ, અગિયાર, બાર અને અઢાર એમ સાત સંક્રમસ્થાનો ચારમાં સંક્રમે છે. ટીકાનુ—પાંચ પ્રકૃતિના સમૂહરૂપ પતગ્રહમાં દશ, અગિયાર, બાર અને તેર તથા અઢાર, ઓગણીસ, વીસ અને એકવીસ એમ ચાર ચાર સંક્રમસ્થાનો સંક્રમે છે. - તેમાં ક્ષપકશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ક્ષય થયા બાદ અનુક્રમે અગિયાર અને દશ પ્રકૃતિઓ પાંચમાં સંક્રમે છે, તેમજ ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યગ્દષ્ટિને અનુક્રમે અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને સંજ્વલન ક્રોધ ઉપશમે એટલે અગિયાર અને દશ પ્રકૃતિઓ પાંચમાં સંક્રમે છે. તથા બાર પ્રકૃતિઓનો પાંચમાં સંક્રમ ક્ષપકશ્રેણિમાં જ થાય છે, તે પણ અંતરકરણ કર્યા પછી નપુંસકવેદનો ક્ષય ન થાય ત્યાં સુધી થાય છે. તથા તેર પ્રકૃતિઓ આઠ કષાયનો ક્ષય કર્યા પછી અંતરકરણ ન કરે ત્યાં સુધી ક્ષપકશ્રેણિમાં, અને પુરુષવેદનો ઉપશમ થયા પછી ઉપશમસમ્યગ્દષ્ટિને ઉપશમ શ્રેણિમાં પાંચના પતધ્રહમાં. સંક્રમે છે. તથા અઢાર, ઓગણીસ અને વીસ એ ત્રણ સંક્રમસ્થાનો ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં હોય છે તેમાં અંતરકરણ કરે એટલે લોભનો સંક્રમ ન થાય માટે વિસ, નપુંસકવેદનો ઉપશમ થયા પછી ઓગણીસ અને સ્ત્રીવેદનો ઉપશમ થાય એટલે અઢાર પ્રકૃતિઓ પાંચમાં સંક્રમે છે તથા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પહેલાં અને આઠ કષાયના ક્ષય પહેલાં ક્ષપકશ્રેણિમાં એકવીસ પ્રકૃતિઓ પાંચમાં સંક્રમે છે. ચારના પતગ્રહમાં સાત, આઠ, ચાર, દશ, અગિયાર, બાર અને અઢાર એ સંક્રમસ્થાનો સંક્રમે છે તેમાં હાસ્ય ષકનો ક્ષય થયા પછી ચાર પ્રકૃતિઓ ચારમાં ક્ષપકશ્રેણિમાં જ સંક્રમે છે. તથા સ્ત્રીવેદનો ક્ષય થયા પછી ક્ષપકશ્રેણિમાં અને સંજવલન ક્રોધનો ઉપશમ થયા પછી ઉપશમશ્રેણિમાં દશ પ્રકૃતિઓ ચારમાં સંક્રમે છે. તથા તે જ ઉપશમ સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશમે એટલે આઠ અને સંજવલન માન ઉપશમે એટલે સાત પ્રકૃતિઓ ચારમાં સંક્રમે છે. તથા અગિયાર, બાર અને અઢાર એ ત્રણ સંક્રમસ્થાનો ક્ષાયિક સમન્વીને ઉપશમ શ્રેણિમાં હોય છે. તેમાં સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી અઢાર, હાસ્યષકનો ઉપશમ થયા પછી બાર અને પુરુષવેદનો ઉપશમ થયા પછી અગિયાર પ્રકૃતિઓ ચારના પતંગ્રહમાં સંક્રમે છે. ૧૯ तिन्नि तिगाई सत्तट्टनवय संकममिगारस तिगम्मि । दोसु छडट्ठदुपंच य इगि एवं दोण्णि तिण्णि पण ॥२०॥ त्रीणि त्रिकादीनि सप्ताष्टनवकैकादशसंक्रमास्त्रिके । द्वयोः षट्काष्टकद्विकपञ्चकाः चैकस्मिन्नेका द्वे तिस्त्र पञ्च ॥२०॥ અર્થ-ત્રણ આદિ ત્રણ તથા સાત, આઠ, નવ અને અગિયાર એ સાત સંક્રમસ્થાનો ત્રણમાં છે. તથા બેમાં છે, આઠ, બે અને પાંચ એ ચાર સંક્રમસ્થાનો અને એકમાં એક, બે, ત્રણ અને પાંચ એ ચાર સંક્રમસ્થાનો સંક્રમે છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy