SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૨૪૩ અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નહિ હોવાથી મિશ્ર અને મિથ્યાત્વમોહનીયનો લોભમાં સંક્રમ થતો નથી. એટલે જ એનો બેમાં સંક્રમ થાય છે. તેમાં મિથ્યાત્વ, સમ્યક્ત અને મિશ્રમોહનીયમાં, અને મિશ્રમોહનીય સમ્યક્વમોહનીયમાં સંક્રમે છે. આ પ્રમાણે ઉપશમ સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંક્રમ અને પતઘ્રહનો વિધિ કહ્યો. હવે ઉપશમશ્રેણિમાં વર્તતા ક્ષાયિક સમ્યગ્દષ્ટિનો સંક્રમ અન પતટ્ઠહ વિધિ કહે છે – - તેમાં અનંતાનુબંધિ ચતુષ્ક અને દર્શનત્રિકનો ક્ષય થયા પછી એકવીસની સત્તાવાળો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉપશમ શ્રેણિનો સ્વીકાર કરે છે. તેને નવમા ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત પર્વત પુરુષવેદ અને સંજવલન ચતુષ્કરૂપ પાંચના પતઘ્રહમાં એકવીસ પ્રકૃતિમાં એકવીસ પ્રકૃતિઓ સંક્રમે છે. આઠમા ગુણસ્થાનકે તો તેને નવના પતઘ્રહમાં એકવીસ સંક્રમે છે એમ સમજવું. નવમા ગુણસ્થાનકે જ્યારે અંતકરણ કરે ત્યારે સંજવલન લોભનો સંક્રમ થતો નહિ હોવાથી તેના સિવાય શેષ વીસ પ્રકૃતિઓ પાંચના પતગ્રહમાં અંતર્મુહૂર્ત પર્યત સંક્રમે છે. ત્યારપછી નપુંસકવેદ ઉપશમે ત્યારે ઓગણીસ પ્રકૃતિઓ અંતર્મુહૂર્ત પર્યત પાંચમાં સંક્રમે છે. ત્યારપછી સ્ત્રીવેદ ઉપશમે ત્યારે અઢાર પ્રકૃતિઓ તે જ પાંચના પતહમાં અંતર્મુહૂર્ત પર્યત સંક્રમ છે. ત્યારપછી પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમ્યગૂન બે આવલિકા શેષ રહે ત્યારે તે પતઘ્રહ થતો નથી માટે તેના સિવાય શેષ ચારના પતઘ્રહમાં અઢાર પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યારપછી છ નોકષાયોનો ઉપશમ થાય ત્યારે શેષ બાર પ્રકૃતિઓ ચારના પતધ્રહમાં સમયગૂન બે આવલિકા પર્યત સંક્રમે છે. ત્યારપછી પુરુષવેદનો ઉપશમ થયે છતે અગિયાર પ્રકૃતિઓ ચારના પતધ્રહમાં અંતર્મુહૂર્ત પર્યત સંક્રમે છે. ત્યારપછી સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે સંજ્વલન ક્રોધ પણ પતઘ્રહ થતો નથી માટે ચારમાંથી તેને દૂર કરતાં શેષ ત્રણના પતઘ્રહમાં તે પૂર્વોક્ત અગિયાર પ્રકૃતિઓ સંક્રમે છે. તે ત્યાં સુધી સંક્રમે યાવત્ સમય ન્યૂન બે આવલિકા કાળ જાય. ત્યારપછી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ બે ક્રોધ ઉપશમે ત્યારે નવ પ્રકૃતિઓ પૂર્વોક્ત ત્રણના પતઘ્રહમાં સમયગૂન બે આવલિકાકાળ પર્યત સંક્રમે છે. ત્યારપછી સંજ્વલન ક્રોધ ઉપશમે એટલે આઠ પ્રકૃતિઓ અંતર્મુહૂર્ત પર્યત ત્રણના પતઘ્રહમાં સંક્રમે છે. ત્યારપછી સંજવલન માનની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે સંજ્વલન માન પણ પતધ્રહ થતો નથી માટે ત્રણમાંથી તેને કાઢતાં શેષ બેના પતગ્રહમાં પૂર્વોક્ત આઠ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા કાળ સુધી સંક્રમે છે. ત્યારપછી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ બે માન ઉપશમે ત્યારે સાત પ્રકૃતિઓ બેના પતગ્રહમાં ! સમય ન્યૂન બે આવલિકાપર્યત સંક્રમે છે. ત્યારપછી સંજવલન માન ઉપશમે ત્યારે પાંચ પ્રકૃતિઓ બેના પતગ્રહમાં અંતર્મુહૂર્ત પર્યત સંક્રમે છે. ' ત્યારપછી સંજવલન માયાની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે - સંજવલન માયા પણ પતઘ્રહ થતી નથી માટે બેમાંથી તેને દૂર કરતાં શેષ સંજવલન લોભ રૂપ એકના પતઘ્રહમાં તે પાંચ પ્રકૃતિઓ સમય ન્યૂન બે આવલિકા પર્યત સંક્રમે છે. ત્યારપછી
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy