SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ સારસંગ્રહ ૧૮૫ કહેવાય છે. ત્યાં અસતાવેદનીયના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે, સમયાધિક જઘન્ય, બે સમયાધિક જઘન્ય, ત્રણ સમયાધિક જઘન્ય. ચાર સમયાધિક જઘન્ય સ્થિતિબંધ એમ યાવતુ આક્રાંત સ્થિતિસ્થાનોના ચરમ સ્થિતિબંધ સ્થાન સુધીના અર્થાત્ પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનોમાં જઘન્ય રસ તેટલો જ = સમાન હોય છે. આક્રાંત સ્થિતિઓના ચરમ સ્થિતિસ્થાનના અર્થાત્ પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આક્રાંત સ્થિતિની ઉપરના પ્રથમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તે જ કંડકના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો, તે થકી ત્રીજા, ચોથા, પાંચમા યાવત આક્રાંત સ્થિતિસ્થાનના ઉપરના પ્રથમ કંડકના સંખ્યાતા ભાગોમાં સ્થિતિસ્થાનો પૂર્ણ થાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી ક્રમશઃ જઘન્ય રસ અનંતગુણ હોય છે. સંખ્યાતા ભાગોમાંના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાન રૂપ પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેનાથી બીજા, ત્રીજા, ચોથા યાવત્ આક્રાંત સ્થિતિઓના નીચેના પ્રથમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોય છે, તે આક્રાંત સ્થિતિઓના શરૂઆતના નીચેના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યામાં ભાગમાંના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તેનાથી શરૂઆતના બીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે, તે બીજા કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓના ઉપરના કંડકના સંખ્યામાં ભાગમાંના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ આવી ગયેલ હોવાથી તેની ઉપરના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી આક્રાંત સ્થિતિઓના શરૂઆતના ત્રીજા કંડક પ્રમાણ સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક-એકથી અનંતગુણ હોય છે, તે ત્રીજા કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની ઉપરના કંડકના સંખ્યામાં ભાગમાંના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી આક્રાંત સ્થિતિઓના શરૂઆતના ચોથા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ અનુક્રમે એક એકથી અનંતગુણ હોય છે. એમ આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકના સંખ્યામાં ભાગમાંના ઉપર-ઉપરના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અને શરૂઆતનાં એક એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનંતગુણ-અનંતગુણ ત્યાં સુધી હોય છે કે–આક્રાંત સ્થિતિઓમાંનાં ઉપરનાં છેલ્લાં એટલે કે પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના ચરમ સ્થિતિસ્થાન સુધીનાં બધાં સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ પૂર્ણ થાય અને આક્રાંત સ્થિતિઓની ઉપરના પ્રથમ કંડકનાં બધાં ૧અહીં પૂ આ શ્રીમલયગિરિજી મહારાજે ટીકામાં કંડકના સંખ્યામાં ભાગો અને એક સંખ્યાતમો ભાગ એમ બતાવેલ છે. પરંતુ આ જ ગ્રંથની સ્વોપજ્ઞટીકામાં અને કર્મપ્રકૃતિ મૂળ તથા તેની ટીકામાં સર્વત્ર કંડકના અસંખ્યાતા ભાગો અને એક અસંખ્યાતમો ભાગ એ પ્રમાણે જણાવેલ છે. તેથી અહીં અશુદ્ધિ હોય તેમ લાગે છે. પંચ૦૨-૨૪
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy