SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ સારસંગ્રહ ૧૬૧ નામકર્મને પ્રાપ્ત દલિકના જ્યારે ત્રણ શરીર બંધાતાં હોય ત્યારે સાત અને ચાર શરીર બંધાતાં હોય ત્યારે અગિયાર ભાગ પડી અનુક્રમે સાત અને અગિયારને મળે છે. પરંતુ તેથી વધારે બંધનો એકીસાથે બંધાતાં નથી. આ દલ વિભાજનની સામાન્ય વિધિ છે. પરંતુ જેના જેટલા ભાગ પડે છે અને જેટલી પ્રકૃતિઓને મળે છે તે દરેકને સમાન જ મળે છે એમ નથી. પરંતુ ૪૧મી ગાથાના ભાષાંતરમાં બતાવેલ અલ્પબદુત્વ પ્રમાણે ન્યૂનાધિક હોય છે. હવે સ્થિતિબંધ અને રસબંધનું સ્વરૂપ કહેવાનું છે. પરંતુ સ્થિતિબંધથી રસબંધના સ્વરૂપમાં અધિક કહેવાનું હોવાથી ક્રમનું ઉલ્લંઘન કરી પ્રથમ રસબંધનું સ્વરૂપ કહે છે. ત્યાં અધ્યવસાય, અવિભાગ, વર્ગણા, સ્પર્ધ્વક, અંતર, સ્થાન, કંડક, જસ્થાન, અધ્યતનસ્થાન, વૃદ્ધિ, સમય, યવમધ્ય, ઓજોયુગ્મ, પર્યવસાન અને અલ્પબદુત્વ આ પંદર અનુયોગ દ્વારો છે. (૧) અધ્યવસાય કર્મ પરમાણુઓમાં શુભ કે અશુભ ફળ આપવાની શક્તિ, તાકાત કે પાવરને અહીં રસ કહેવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે તે રસ કર્મ પરમાણુઓમાં પહેલેથી જ હોય છે કે આત્મા કર્મરૂપે ગ્રહણ કરે ત્યારે નવીન ઉત્પન્ન થાય છે? જૈન દર્શનની માન્યતા મુજબ જે પદાર્થમાં જે શક્તિ કે ગુણ સર્વથા હોય જ નહીં, તે શક્તિ કે ગુણ કદાપિ ઉત્પન્ન થતા જ નથી. તેમજ કર્મ પરમાણુઓમાં પહેલેથી પણ તેવો રસ પ્રગટ રૂપે હોઈ શકતો નથી. પણ સત્તા રૂપે અર્થાત્ તિરોભાવે હોય છે. જે વખતે આત્મા કાર્મણ વર્ગણા ગ્રહણ કરી કર્મ રૂપે પરિણાવે છે તે વખતે આત્માનો જેવો તીવ્ર યા મંદ કષાયોદય અને જેવી શુભાશુભ લેશ્યા હોય તેવો રસ પ્રગટ થાય છે. કડવી તુંબડી અથવા લીંબડા જેવો કડવા વિપાકવાળો હોય તે અશુભ અને શેરડી અગર • ખાંડ જેવો આહલાદક મધુર વિપાકવાળો હોય તે શુભ રસ છે. ત્યાં પાપ પ્રકૃતિઓમાં અશુભ અને પુન્ય પ્રવૃતિઓમાં શુભ રસ હોય છે. જેમ જેમ કષાયોની અને અશુભ લેશ્યાઓની તીવ્રતા તેમ તેમ તે સમયે બંધાતી પાપ પ્રકૃતિઓમાં તીવ્ર એટલે કે ઉત્કૃષ્ટ અર્થાત વધારે અને પુન્ય પ્રવૃતિઓમાં ઓછો રસ ઉત્પન્ન થાય છે અને જેમ જેમ કષાયોની અને અશુભ લેગ્યાઓની મંદતા અથવા શુભ લેશ્યાઓની તીવ્રતા તેમ તેમ તે વખતે બંધાતી પાપ પ્રકૃતિઓમાં ઓછો અને પુન્ય પ્રવૃતિઓમાં વધારે રસ ઉત્પન્ન થાય છે. કર્મ પરમાણુઓમાં રસને પ્રગટ કરનાર–લેશ્યા સહિત કષાયોદયવાળા તીવ્ર-તીવ્રતરતીવ્રતમ તેમજ મંદ-મંદતર-મંદતમ જે આત્મ પરિણામો તે જ રસબંધના અધ્યવસાયો છે અને તે અસંખ્યાત લોકાકાશના પ્રદેશ રાશિ પ્રમાણ અસંખ્યાતા છે. અગિયારથી તેર ગુણઠાણા સુધી શુક્લ લેશ્યા હોવા છતાં કષાયોદય ન હોવાથી ત્યાં બંધાતી સાતા-વેદનીયમાં કોઈ પણ પ્રકારનો રસ પડતો નથી. પણ એકથી દસ ગુણસ્થાનક સુધી કષાયોદય પણ હોવાથી તે વખતે બંધાતી કર્મ પ્રકૃતિઓમાં રસ ઉત્પન્ન થાય છે. પંચ૦૨-૨૧
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy