SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૧૭ અર્થ—પ્રતિપક્ષ વડે આક્રાંત જેટલાં સ્થિતિસ્થાનકો છે તે સઘળાનો જઘન્ય રસ અસાતાના જઘન્ય સ્થિતિસ્થાન તુલ્ય થાય છે. ૯૫ ત્યારપછી કંડકના સંખ્યાતા ભાગપર્યંત અનંતગુણાકારે જઘન્ય ૨સ થાય છે. કંડકના સંખ્યાતા ભાગમાંના છેલ્લા સ્થિતિસ્થાનકથી જઘન્ય સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ થાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ રસવાળાં સ્થાનોનું અનંતગુણાકારે એક કંડક જાય ત્યારે એક સ્થાનકમાં જઘન્ય અનન્તગુણ રસ થાય. પ્રતિપક્ષાક્રાન્ત સ્થિતિઓમાં આ પ્રમાણે થાય છે. ૯૭ ઉપર ઉપઘાત સમાન થાય છે. ટીકાનુ—સાતવેદનીયરૂપ પ્રતિપક્ષ વડે જેટલાં સ્થિતિસ્થાનો આક્રાન્ત છે તે સઘળાંનાં જઘન્ય રસબંધસ્થાનો અસાતાની જઘન્યસ્થિતિ બાંધતા જે જઘન્ય રસબંધ થાય છે તેની તુલ્ય છે. તાત્પર્ય આ પ્રમાણે છે—અસાતાની જઘન્યસ્થિતિ બાંધતા જે જઘન્ય રસબંધ થાય છે તે અલ્પ છે, સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા જઘન્ય રસબંધ તેટલો જ થાય છે, બે સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા પણ જઘન્ય. રસબંધ તેટલો જ થાય છે. આ પ્રમાણે જેટલી સ્થિતિઓ પ્રતિપક્ષ વડે આક્રાન્ત છે તેટલી સ્થિતિઓમાં પૂર્વ પૂર્વ સ્થિતિસ્થાનકમાં જેટલો જેટલો જઘન્ય ૨સબંધ થાય છે તેટલો તેટલો ઉત્તરોત્તર સ્થિતિસ્થાનકમાં જઘન્યરસબંધ થાય છે. છઠ્ઠ ગુણસ્થાને અસાતાનો જે જઘન્યસ્થિતિબંધ થાય છે ત્યાંથી આરંભી પંદર કોડાકોડી સાગરોપમ સુધીનાં સ્થાનકો પરસ્પર આક્રાંત હોવાથી ત્યાં સુધીનાં સ્થાનકોમાં જઘન્ય રસબંધ સરખો જ થાય છે. ત્યારપછી તદેકદેશ અને અન્ય એ ક્રમથી જે સ્થિતિસ્થાનથી અનુકૃષ્ટિ શરૂ થાય છે તે સ્થાનકમાં પૂર્વ સ્થિતિસ્થાનકથી જઘન્ય રસબંધ અનંતગુણ થાય છે. તે આ પ્રમાણે—પૂર્ણ પંદર કોડાકોડી સ્થિતિબંધ બાંધતા જે જઘન્ય રસબંધ થાય છે તેનાથી સમયાધિક પંદર કોડાકોડી બાંધતા અનંતગુણ જઘન્યરસબંધ થાય છે, તેનાથી બે સમયાધિક પંદર કોડાકોડી બાંધતા અનંતગુણ જઘન્ય ૨સબંધ થાય છે. આ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ કંડકના સંખ્યાતા ભાગપ્રમાણ સ્થિતિસ્થાનો જાય, એક ભાગ બાકી રહે. અહીં સુધી તો કેવલ જઘન્ય અનુભાગ કહેવાયો છે. હવે ઉત્કૃષ્ટ અનુભાગ પણ કહે છે—કંડકના સંખ્યાતા ભાગપ્રમાણ સ્થિતિસ્થાનોમાંના છેલ્લા સ્થિતિસ્થાનમાં જે જઘન્ય રસબંધ થાય છે તેનાથી જધન્યસ્થિતિસ્થાનકથી આરંભી કંડક જેટલા સ્થાનકમાં ઉત્કૃષ્ટ રસબંધ અનંતતગુણ કહેવો. તે આ પ્રમાણે—જઘન્યસ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ થાય છે, તેનાથી સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા ઉત્કૃષ્ટરસ અનંતગુણ થાય છે, તેનાથી બે સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા ઉત્કૃષ્ટ રસ અનંતગુણ થાય છે. આ પ્રમાણે પૂર્વપૂર્વ સ્થાનકથી ઉત્તર-ઉત્તર સ્થાનકમાં અનંતગુણ રસ ત્યાં સુધી કહેવો કે એક કંડક જેટલાં સ્થાનકો થાય. તેનાથી જે સ્થિતિસ્થાનકની અપેક્ષાએ કંડક પ્રમાણ સ્થાનકોમાં ઉત્કૃષ્ટ રસ કહ્યો તેની ઉપરના એટલે કે કંડકના શેષ સંખ્યાતમા ભાગના પહેલા સ્થિતિસ્થાનકમાં જધન્ય રસ ૧. અહીં મૂળ ગ્રંથમાં અને પૂ. મલગિરિ મની ટીકામાં નિવર્તન કંડકના સંખ્યાતા ભાગો લખ્યા છે. પરંતુ આ જ ગ્રંથની સ્વોપશ ટીકામાં તેમજ કર્મપ્રકૃતિ મૂળ ગ્રંથમાં, ચૂર્ણિમાં અને તેની બન્ને ટીકાઓમાં કંડકના અસંખ્યાતા ભાગો લખ્યા છે. તત્ત્વ અતિશય જ્ઞાની જાણે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy