SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પંચસંગ્રહ-૨ સમયાધિક જઘન્ય સ્થિતિબંધ સંબંધી અધ્યવસાયોની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તે પછીના સ્થાનકમાં બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ સંબંધી અધ્યવસાયોની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. આ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધ આવે. અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધ કરતાં જે રસબંધના અધ્યવસાયો હોય છે તે સઘળા સમયાધિક અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધ કરતા હોય છે અને બીજા નવા પણ હોય છે. સમયાધિક અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધમાં જે અધ્યવસાયો છે, તે સઘળા બે સમયાધિક જઘન્ય સ્થિતિ બાંધતા હોય છે અને બીજા નવા પણ હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થાનકમાં જે જે રસબંધાધ્યવસાયો છે તે તે સઘળા અને બીજા નવા ઉપર ઉપરના સ્થિતિબંધમાં હોય છે. એમ સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતબંધ પર્વત કહેવું. એટલે કે જેટલાં સ્થિતિસ્થાનકો પ્રતિપક્ષપ્રકૃતિઓ સાથે પરાવર્તમાન પરિણામે બંધાય છે તેટલા સ્થિતિસ્થાનક પર્યત કહેવું. જેમકેનીચગોત્ર દશકોડાકોડી પર્યત ઉઐર્ગોત્ર સાથે પરાવર્તમાન પરિણામે બંધાય છે અને તિર્યશ્વિક પંદર કોડાકોડી સાગરોપમ પર્વત મનુષ્યદ્ધિક સાથે પરાવર્તમાન પરિણામે બંધાય છે તેથી ત્યાં સુધી તે અને અન્ય એ ક્રમે અધ્યવસાયોની અનુકૃષ્ટિ લઈ જવી. ત્યારપછી એટલે કે શતપૃથક્વ–અનેક સેંકડો સાગરોપમની ચરમસ્થિતિમાં જે રસબંધના અધ્યવસાયો છે તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને શેષ સઘળા સમયાધિક ઉપરના સ્થિતિસ્થાનકમાં જાય છે અને બીજા નવા પણ હોય છે. તે સ્થિતિસ્થાનકમાં જે રસબંધાવ્યવસાયો હોય છે તેનો અસંખ્યાતમો ભાગ છોડી શેષ સઘળા તેની ઉપરના સ્થિતિસ્થાનકમાં હોય છે અને બીજા નવા પણ હોય છે. આ પ્રમાણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનક પર્યત કહેવું. તે સ્થિતિસ્થાનકમાં શતપૃથક્ત સાગરોપમની ચરમસ્થિતિ સંબંધી અધ્યવસાયોની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તે પછીના સ્થિતિસ્થાનકમાં સમયાધિક શતપથર્વસાગરોપમ સંબંધી અધ્યવસાયોની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. આ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે તે તે પ્રકૃતિઓનું ઉત્કૃષ્ટસ્થિતિસ્થાન આવે. આ રીતે તિર્યગાનુપૂર્વી અને નીચગોત્રની પણ અનુકૃષ્ટિ સમજવી. ૯૦ હવે ત્રસાદિ ચતુષ્કની અનુકૃષ્ટિ કહેવા ઇચ્છતા કહે છે – अट्ठारसकोडीओ परघायकमेण तसचउक्केवि । अष्टादशकोट्यः पराघातक्रमेण त्रसचतुष्केऽपि । અર્થ—અઢાર કોડાકોડી સાગરોપમ પર્વત પરાઘાત પ્રમાણે ત્રણ ચતુષ્કમાં અનુકૃષ્ટિ કહેવી, પછી “અપિ” શબ્દથી સાતાની જેમ કહેવી. ૧. પરાવર્તમાન પ્રકૃતિઓનાં જે સ્થિતિસ્થાનકો એકલા જ બંધાય–તેની વિરોધિની પ્રકૃતિઓ સાથે પરાવર્તન પામી ન બંધાય તે સ્થિતિસ્થાનકો બંધાતાં રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિનો તળેકદેશ અને અન્ય એ ક્રમ છે. જેટલાં સ્થિતિસ્થાનકો પરાવર્તન પામીને બંધાય છે ત્યાં તે અને અન્ય એટલે કે ઉપરનાં સઘળાં અને નવાં એ ક્રમ છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy