________________
૧૮
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન-સંગ્રહવિભાગ અગ્રણી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને લેખિત સોંપ્યું, ને એક મધ્યસ્થ નીમાયા, ત્યારે મધ્યસ્થ આપેલ નિર્ણય બને પક્ષોએ માન, એ ઉચિત અને આવશ્યક હતું. કદાચ મધ્યસ્થમાં અવિશ્વાસનું કંઈ પણ કારણ મેળવ્યું હોય, તે નિર્ણયની ફરી તપાસ કરવાની ઈચ્છાથી તેણે સામા પક્ષને સાથે લઈને બીજા કોઈ પ્રતિષ્ઠિત પંડિતની, અથવા સમિતિ રૂપે કેટલાક વિદ્વાનોના સમુદાયની નિમણુંક કરવી, એ ન્યાયયુક્ત અને ધર્મને છાજતું હતું. પરંતુ પરાજય પામેલા પક્ષે તેવી રીતે ન કરતાં, પિતાના મતના આવેશથી બીજા પક્ષને અવગણી પોતાના મતને અનકલ લખાણ લખી આપવા ઉપર કહેલા ભાઇ(ચિન્મસ્વામી)ને નીમ્યા. એ ભાઈએ પિતાને નીમનારના મતને મળતી એવી પતાકાને રચી. વળી તેમાં વિનય, પરિચય-લાગવગ, પ્રાર્થના ઈત્યાદિ વાપરીને બીજા સંપ્રદાયની વાતમાં રસ નહિ ધરાવતા એવા કાશીના અને બીજા અમુક વિદ્વાનોના હસ્તાક્ષરોને સંગ્રહ કરી પિતાના આત્માને કૃતાર્થ બનાવ્યા. એટલા માટે આ સમિતિ હારેલા પક્ષના આ કાર્યને અત્યંત નિંદનીય જાહેર કરે છે. સાથે, એ નિશ્ચય નથી કરી શકતી કે “બંને પક્ષે સ્થાપેલા વિદ્વાનને નિર્ણય, એ એક પક્ષને છે,’ એવું જાહેર કરનાર હારેલા પક્ષે, કેવળ પિતે એકલાએ પસંદ કરેલા પુરૂષના નિર્ણયને કેવી રીતે, સકલ જૈન જનતામાં વિશ્વાસપાત્ર કરવાનું ધાર્યું હશે ?” એથી, આ વિદ્વત્સમિતિ નિષ્પક્ષપણે ઉભયના મતને જૈનશાસ્ત્ર સાથે તપાસી, ખૂબ સદભાવથી જૈનપ્રજાને તિથિ સંબંધમાં જૈનાગમોને સત્ય અને હિતકારી સંદેશ આપે છે. સાથે જ પ્રસ્તુત (તિથિ) વિષયમાં વિરૂદ્ધ બેલનાર-માનનાર વર્ગને રૂબરૂમાં શાસ્ત્રાર્થ કરવાને ઉત્સાહપૂર્વક સમિતિ આહવાન કરે છે.
હું તે દઢ વિશ્વાસ ધરાવું છું કે સમિતિએ નિર્દિષ્ટ કરેલે નિર્ણય, નિર્દોષ, સંપૂર્ણ, જૈનાગમની પ્રતિષ્ઠાને રક્ષક અને વચલા ગાળામાં વિચ્છેદ પામેલી જૈનશાસ્ત્રને સંમત સાચી પ્રાચીન સામાચારીને સમર્થક હોવાથી વિચાર અને આચારની સંપત્તિએ નિર્મળ છે; તેથી આ નિર્ણયને સકલ શ્રી જૈનસંઘ મતભેદને તજીને આવકારશે. સંધમાંના જે વર્ગને આ હિતવચન પણ ન સાંભળવું હોય, તે સમિતિના વાદયુદ્ધના નિમંત્રણને (ચેલેન્જને) સ્વીકારી જલદી પિતાના સુભટોને સમિતિ સન્મુખ ખડા કરશે, એવી આશા છે.”
શ્રી અહત્તિથિભાસ્કર નામને આ ગ્રન્થ, ઉપર જણાવેલી વિદ્વત્સમિતિના વિદ્વાન સમાંના એક-ન્યાયવેદાન્તશાસ્ત્રાચાર્ય, તાર્કિકશિરોમણિ, પં. શ્રી બદરીનાથ શુક્લ, જેઓ તે વખતે કાશી વિશ્વવિદ્યાલયના અધ્યાપક હતા તથા કાશીની રાષ્ટ્રીય સંસ્કૃત પરિષદના પ્રધાન મંત્રી હતા અને હાલમાં જેઓ બનારસની ગવર્નમેન્ટ સંસ્કૃત કૉલેજના વાઈસ પ્રિન્સીપાલ છે તથા M. A. થયેલા છે, તેઓએ લખ્યું હતું. તે પછી કાશીની ઉપર જણાવેલી વિદ્વત્સમિતિએ આ શ્રી અતિથિભાસ્કર ગ્રન્થનું સમ્પાદન કર્યું હતું.
આ સંગ્રહ-વિભાગમાં, “શાસન જયપતાકા” પુસ્તિકાને પણ પ્રગટ કરવા પૂર્વક જ, આ શ્રી અતિથિભાસ્કર ગ્રન્થને પ્રગટ કરવાની ઈચ્છા હતી અને એથી “શાસન જયપતાકા” પુસ્તિકાના બે ફરમાનું કેપેઝ પણ કરાવાયું હતું, પરંતુ “શાસન જયપતાકા” પુસ્તિકામાં તેના પ્રકાશકે “સર્વ હક સ્વાધીન” રાખ્યા હોવાનું છાપેલું હેઈ, એ વિષે ઉંડો વિચાર કરીને, આ સંગ્રહમાં શાસન જયપતાકા” પુસ્તિકાને ઉતારો આપવાની અમારી જે ઈચ્છા હતી, તેને અમે જલાંજલિ દઈ દીધી.
હવે, કાશીની વિદ્વત્સમિતિએ સમ્પાદિત કરેલે શ્રી અહતિથિભાસ્કર ગ્રન્થ અને તેમાં જ અપાએલ તેને “ મા દિવી મેં અર્થકાર' ક્રમશઃ આપવામાં આવે છે.
–સં. જૈન દષ્ટિએ તિથિરિન અને પર્વરાધન]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org