SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ [ જૈન દૃષ્ટિએ તિથિ દિન અને પરાધન-સંગ્રહવિભાગ [ શ્રી અનિથિભાસ્કર ગ્રન્થને અંગેની નૈધ શ્રી અતિથિભાસ્કર નામને આ ગ્રન્થ, સંસ્કૃત ભાષામાં રચાએલ છે અને આ ગ્રન્થના રચયિતાએ પોતે જ, આ ગ્રન્થને રાષ્ટ્રભાષા હિન્દીમાં અર્થ-પ્રકાશ તૈયાર કરીને આ ગ્રન્થમાં આપેલો છે. આથી, “શ્રી અતિથિભાસ્કર ગ્રન્થ-હિન્દી અર્થપ્રકાશ સાથે” આપતાં પૂર્વે, આ ગ્રન્થને વાંચકોને ટૂંક પરિચય કરાવવામાં આવે છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી અને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ વચ્ચે, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની શુભ દરમ્યાનગીરીથી, તિથિરિન અને પરાધન સંબંધી મન્તવ્યભેદને અંગે જે લવાદી ચર્ચા યોજાઈ હતી, તેમાં જે નિર્ણય આવે તે નિર્ણયને કશા ય ટીકાટિપ્પણ વિના સ્વીકારી લેવાની, ઉક્ત બને ય આચાર્યોએ લેખિત કબૂલાત આપી હતી. આમ છતાં પણું, લવાદને નિર્ણય, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના મન્તવ્યને જ જૈન શાસ્ત્રાનુસારી ઠરાવનારે થયે છે-એ વાતને જાણીને, આચાર્ય શ્રી. સાગરાનન્દસૂરીશ્વરજીએ, પિતાની લેખિત કબૂલાતને અવગણીને, એ નિર્ણયને નહિ માનવાની જાહેરાત કરી. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય જૈન શાસ્ત્રોને અનુસરતું નથી–એવું લવાદશ્રીએ નિર્ણયમાં કરાવેલું હોવાના કારણે, એ નિર્ણયને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાને અમાન્ય જાહેર કર્યો હતે, છતાં પણ તેઓએ પિતાના એ બેટા પગલાને લોકદષ્ટિમાં વ્યાજબી ઠરાવવાને માટે, લવાદશ્રી ઉપર અંગત હુમલા રૂપ આક્ષેપ મૂક્યા હતા. એટલાથી સંતોષ નહિ થતાં, તેમણે, લવાદશીના નિર્ણયને ખેટે હરાવવાના બીજા પણ માગે લીધા હતા. સમાજના સદ્ભાગ્યે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના એ બધા ય પ્રયાસો નિષ્ફલ અને તેમને પોતાને જ નુકશાનકારક નિવડ્યા હતા. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ કરેલા અને તેમની પ્રેરણાદિથી થયેલા ઉપર્યુક્ત પ્રયાસો પિકી, એક પ્રયાસ “શાસન જયપતાકા” નામની પુસ્તિકાના પ્રકાશનને પણ થયો હતે. મજકુર શાસનજયપતાકા” નામની પુસ્તિકા, મહામહેપાધ્યાય ૫. શ્રી ચિન્મસ્વામી શાસ્ત્રીની પાસે તિથિક્ષવૃદ્ધિવિષયવસ્થાવરથાપત્રમુ” એ નામથી લખાવીને, તેમાં બીજા ૯૨ પંડિતેની સમ્મતિ મેળવીને, તે પુસ્તિકાને પિતાના એક મહાન વિજય તુલ્ય માનીને, “શાસન જયપતાકા” એ નામે, એ પુસ્તિકાને પ્રગટ કરાવાઈ. ત્યાર બાદ, મજકુર “શાસન જયપતાકા” નામની તે પુસ્તિકાનું પરીક્ષણ કરવા પૂર્વક, પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ વિષયક જૈન શાસ્ત્રીય સિદ્ધાન્તનું નિરૂપણ કરવાને માટે, પં. શ્રી રાજનારાયણ શસ્તે, સુપ્રતિષ્ઠિત વિદ્વાનોની એક સમિતિની સંજના કરી હતી. કાશીની એ વિકત્સમિતિએ સમ્પાદિત કરેલ જે ગ્રન્થ, તે જ આ શ્રી અર્હત્તિથિભાસ્કર નામને ગ્રન્થ છે. આ ગ્રન્થનું સંપાદન કાશીની જે વિદ્વત્સમિતિએ કર્યું છે, તે વિદ્વત્સમિતિ કુલ ૧૭ વિદ્વાન સભ્યોની બનેલી હતી. એ ૧૭ વિદ્વાને નામનિર્દેશાદિ પરિચય, શ્રી અસ્તિથિભાસ્કર ગ્રન્થમાં અપાએલો છે. જે નીચે જણાવ્યા મુજબને છે – (૧) શ્રી રાજનારાયણ શમ પાણય. શાસ્ત્રાચાર્ય શાસ્ત્રાર્થમહારથ. પ્રોફેસર-કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy