________________
૩૩૨
[[ન દષ્ટિએ તિથિનિ અને પરાધન.. એક આવતાં તેઓ એક દેખાય છે. આટલા વર્ષો ગયાં, પણ તેઓ શાસ્ત્રાનુસાર શું માનવું જોઈએએનો નિર્ણય કરી શક્યા નથી. એ તે ભાદરવા સુદ પાંચમને ક્ષય બાર વર્ષે આબે, પણ જો એ વહેલે આવ્યો હોત તે વહેલો ભેદ જણાઈ આવત. પાંચમના ક્ષયે જેઓ ચોથ–પાંચમ ભેગાં માને અને જેઓ છીને ક્ષય માને, તેઓને સંવત્સરીને દહાડે એક આવે. વાત એ છે કે વસ્તુતઃ કોઈ વર્ગ મોટો નથી. આજે આ વાતમાં વધુ ઉતરવું નથી. આ પ્રશ્નનું સર્વસમ્મત નિરાકરણ આવ્યું નથી, એમાં સમાજની અજ્ઞાનતા પણ કારણ રૂપ છે. કહે છે કે-બે આઠમ કે આઠમનો ક્ષય વિગેરે હોય ? પણ એ ન હોત તે ક્ષય-વૃદ્ધિમાં શું કરવું એની વ્યવસ્થા જ ન હોત. માત્ર બાર તિથિઓને જ પર્વ તિથિઓ માનનારા પણ ખોટા છે. કલ્યાણકતિથિઓ પણ પર્વતિથિઓ જ છે. વળી પ્રતિષ્ઠા, માલારોપણ આદિની તિથિઓની પણ આરાધના કરવી હોય તે શું થાય ? માટે ક્ષય-વૃદ્ધિનો નિયમ માત્ર બાર તિથિઓને માટે જ છે, એવું પણ નથી. જે દિવસે જે તિથિનો ભોગવટો ન હોય, તે દિવસે તે તિથિ મનાય જ નહિ. જે દિવસે જે તિથિનો ભોગવટો સૂર્યોદય સમયે હેય, તે દિવસે તે તિથિ. ગણાય. એ તિથિના નિયત કાર્યને માટે તે જ દિવસ લેવાય, કે જે દિવસે એ તિથિને ભગવટો સમાપ્તિને પામેલ હોય. એક દિવસે જો બે તિથિના ભગવટાની સમાપ્તિ થઈ હોય, તે એ દિવસને સૂર્યોદય એ બન્ને ય તિથિઓને માટે પ્રમાણ ગણાય. આ પ્રશ્નમાં મુખ્ય બીનાઓ આટલી જ છે અને એને માટેના સ્પષ્ટ શાસ્ત્રપાઠો છે. તમે પણ જો સંસ્કૃત જાણતા છે અને પ્રયત્ન કરો, તે સહેલાઈથી તમે પણ સમજી શકે એવી આ વાત છે. આપણે તે સંવત ૧૯૫ર ને પ્રસંગને અવલંબીને, આ પ્રશ્નના સર્વસમ્મત નિરાકરણ માટે આટલી જરૂરી વાત કરી લીધી.
(“જૈન પ્રવચન,’ વર્ષ ૨૨, અંક ૨૬, વિ. સં. ૨૦૦૭ અ. શુ. ૪, તા. ૮-૭–૧૯૫૧ માંથી સાભાર.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org