________________
૩૨૪
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધન. વર્ષે લખાયેલા એ નિર્દોષ પત્રને પૂ. શ્રી સાગરજી મહારાજે પિતે પ્રચારેલા જૂ દ્રાણને જીવાડવા ખાતર કેટલી હદે વિકૃત કરી નાંખે છે, તે તેઓશ્રીએ શ્રી વૈદ્યને લખેલા પત્ર ઉપરથી સમજી શકાય છે. લવાદ અને લવાદી નિર્ણયની વિરુદ્ધમાં જે બેજવાબદારીભરી આક્ષેપાત્મક ઝુંબેશ અમુક વર્ગ તરફથી ચલાવાઈ રહી હતી, તેના પ્રતિકારની બાબતમાં શ્રી વૈદ્ય અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની ઉદાસીનતા અંગે સ્વ. પૂ. આ. શ્રી ક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજાએ વ્યક્ત કરેલી જિજ્ઞાસાને, પૂ. શ્રી સાગરજી મહારાજની તેફાની કલ્પનાશક્તિ બે “કારસ્તાન માં ફેરવી નાંખી છે! “મુંબઈના” શેઠ અને “નગદ નાણુને લાભ” જાણે કે હવામાંથી ઉભા થયા છે ! શ્રી વૈધને ભ્રષ્ટાચાર પૂરવાર કરવાનું ગજ મહારનું કામ આ પત્રને સેંપવામાં આવ્યું છે !
આશ્ચર્ય એ વાતનું થાય છે કે-શ્રી વૈદ્ય “નગદ નાણાં” મેળવ્યાનું અને પિતાની . • પાસે તેના પૂરાવા હોવાનું ખુદ શ્રી વૈદ્યને લખી નાંખવાની હિંમત ધરાવનાર પૂ. શ્રી સાગરજી મહારાજે, શ્રી કાપડ્યિા સમક્ષ “વૈધે લાંચ લીધી હોય તેય એના પૂરાવા નથી” અને “આવા આક્ષેપ મેં ક્ય નથી”...આવી વાત કરવા જેટલી લાચારી શા માટે, અનુભવી હશે? –સં૦] પૂ. આચાર્ય શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી મહારાજે પૂ. મુનિરાજ શ્રી મુક્તિ
| વિજયજી મ. ઉપર લખેલ પત્ર, Kasturbhai Amarchand
Amar nivas Tekri,
Cambay_ 194 પાલીતાણા
શાંતિભુવન ફા. શુ. ૧૧ વિનયાદિ ગુણ યુક્ત મુનિરાજ શ્રી મુક્તિવિજયજી યોગ,
અનુવંદનાદિ. લાભવિ. અને મુનિ લીવિ.ની નવાણુ યાત્રા આનંદથી ચાલે છે. બધાને યાત્રામાં સંભારીએ છે.
વિ. રાજકોટથી ઓછવ જે આવેલ કેટલાક શ્રાવકો દ્વારા જાણ્યું છે જે નિર્ણકાર વૈદ્ય તમને મલ્યા હતા. તે શી વાતચીત થઈ તથા તે એકદમ નિશ્ચય કેમ એ પી રહ્યા છે. શેડ કેમ ડઘાઈ ગયા છે તે વિગતવાર જણાવશે. પંન્યાસજી આદિને અનુવંદનાદિ જણાવશે.
વિજ્ય ક્ષમાભદ્ર (પર્વતિથિ નિર્ણય” પરિશિષ્ટ નં ૬, પૃ.૮૪).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org