SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ [જૈન દૃષ્ટિએ તિથિનિ અને પર્વોરાધન... નહિ જ. બીજી વાત. પ્રશ્નમાં પાંચમ ને પૂનમના ક્ષય, તે ક્ષયના બદલામાં કયી તિથિના ક્ષય કરવા–એમ પૂછાયું નથી, પણ કયી તિથિમાં તપ કરવા–એમ પૂછાયું છે; એથી પણ સમજી શકાય તેમ છે કે—ક્ષયના બદલામાં ક્ષય કરવાની ભ્રમણા, તે સમયમાં પ્રચલિત બનેલી હતી જ નહિ. ત્રીજી વાત. શ્રી પ્રવચન સારાદ્ધારના પાઠ રજૂ કરીને અમે જણાવી ગયા છીએ કે–કારણવશેષે તપ, પર્વના પૂર્વકાલમાં પણ થઈ શકે છે અને પર્વના ઉત્તરકાલમાં પણ થઈ શકે છે. જે દિવસે પર્વતિથિ હાય, તે દિવસ સિવાયના દિવસે પણ કારણવિશેષે તપ થઈ શકતા હોઇને જ, ક્ષયના પ્રસંગમાં કયી તિથિમાં તપ કરાય એવા પ્રશ્ન કરાયો છે. વળી, શ્રી જૈન શાસનમાં એ વાત સુપ્રચલિત છે કે-પર્વતિથિના ક્ષયે પૂર્વની તિથિએ જ પર્વતિથિની આરાધના કરાય, છતાં આવેા પ્રશ્ન ઉઠ્યો છે, એનું કારણ એ છે કે–ભાદરવા સુદ પાંચમ પહેલાંની ભાદરવા સુદ ચેાથ પણ પતિથિ છે અને પૂનમ પહેલાંની ચાદશ પણ પર્વતિથિ છે. વળી, ભાદરવા સુદ ચેાથ અને ચૌદશ, એ એ એવી પર્વતિથિઓ છે કે જે પર્વતિથિઓએ તપ નહિ કરનાર, ભાદરવા સુદ પાંચમે અને પૂનમે તપ કરનારો હોય, એ અસંભવિત વસ્તુ છે. હવે ભાદરવા સુદ ચેાથે અને ચૌદશે તે તે તે તિથિને આશ્રયીને તપ કરાતા હાય, એટલે સહજ રીતિએ પ્રશ્ન ઉદ્ભવે કે ક્ષયના પ્રસંગમાં ભાદરવા સુદ પાંચમના ને પૂનમના તપ કયારે કરવા ? વળી, એ વાત પણ છે કે-શાસ્ત્રકારોએ પાક્ષિકને ઉપવાસ તપ જણાવેલા છે, એટલે પૂનમના તપના પ્રશ્ન ચામાસી પૂનમના ક્ષયના પ્રસંગમાં ઉદ્ભવે અથવા તેા પાક્ષિકે છઃ તપ કરવાના કેાઈ ને અભિગ્રહ હોય, તા અન્ય પૂનમોના ક્ષયપ્રસંગમાં પણ પૂનમના તપના પ્રશ્ન ઉદ્ભવે. આમ એ વાત નક્કી થાય છેઃ એક તા તે કાળમાં પર્વતિથિના ક્ષયે પૂર્વ કે પૂર્વતર તિથિના ક્ષય કરવાની મિથ્યા કલ્પના હતી નહિ અને બીજી વાત એ કે—પ્રશ્ન ભાદરવા સુદ ૫ ના ાય સંબંધી તથા પૂનમના ક્ષયે છઠ કરનારે કેમ કરવું તે સંબંધી છે. હવે ઉત્તર જોઈએ. પૂ. જગદ્ગુરૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ મજકુર પ્રશ્નના એવા ઉત્તર આપ્યો છે કે- ત્રત્ર પશ્ચમી તિચિત્રુટિતા મતિ તા તત્તપઃ પૂર્વાં तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपચીતિ।” એટલે કે-પાંચમના ક્ષય હાય ત્યારે તેના તપ પૂર્વની તિથિમાં કરાય અને પૂનમના ક્ષય હોય ત્યારે તેનો તપ તેરશ-ચૌદશે કરાય. તેરશે ભૂલાય તા પડવાએ પણ કરાય. હવે જે તે સમયે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવી પર્વતિથિના ક્ષયે પૂર્વ કે પૂર્વતર તિથિના ક્ષય કરવાની માન્યતા વિદ્યમાન હોત, તે આ જાતિનો ઉત્તર અપાત ખરા ? નહિ જ. એમ જ કહેવાત કે– ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવા, બાકીની પાંચમાના ક્ષયે ચાથનો ક્ષય કરવા અને પૂનમના ક્ષયે તેરશના ક્ષય કરવો.’ પણ તેમ કહેવાયું નથી. વળી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ યોગીવતુવેશ્યોઃ ને પકડીને, એવા અર્થ કર્યાં છે કે—પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ તે દ્વારા તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવાનું વિધાન જણાવ્યું છે, પણ તે એટલે ય વિચાર નથી કરતા કે—જો પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાને તેવું જ જણાવવું હોત, તે એ વાત સીધી ન જણાવત, કે જેથી આવી રીતિએ જણાવ્યું ? ચોવી તુવેશ્યોઃ એમ દ્વિવચન વાપરીને તે માત્ર છટ્ઠ તપને અંગેના જ પ્રશ્ન છે એવું સૂચવ્યું છે અને તે ચોડ્યાં તુ વિસ્તૃતી પ્રતિષઘત્તિ એમ જે કહ્યું, તેનાથી પણ માલૂમ પડે છે. એટલે ઉત્તરમાં એ જ જણાવ્યું છે કે પૂનમના તપ તેરશે કરાય અને તેરશે કરવાનું ભૂલાય તે એકમે "" Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy