SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ [ જૈન દૃષ્ટિએ તિથિરિન અને પરાધન.... –એમ કહે છે. હવે વિચાર કરે જોઈએ કે જે પરમાત્માનું શાસન હાલ વિદ્યમાન છે, તે ભગવાન શ્રી મહાવીરદેવને થયાને કાંઈ હજારો વર્ષ થઈ ગયાં નથી, માત્ર પચીસ વર્ષના આશરાની એ વાત છે. તે પરમાત્માએ પરમ તારક શાસનની સ્થાપના કરી, પર્વતિથિઓની આરાધના ફરમાવી, આયુષ્યબંધની વાત જણાવી; અને તિથિઓને જાણવાનું સાચું સાધન માનવાની ના પાડી, એમ? પણ ખરી વાત એ છે કે-આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું એ લખાણ તદ્દન જુટ ટુ છે! વળી આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ હાલમાં પિતાના મન્તવ્યનું જે નિરૂપણ કર્યું છે, તેની વિરૂદ્ધમાં જાય તેવી સંખ્યાબંધ બાબતે શ્રી સિદ્ધચક પાક્ષિકના આરંભથી અત્યાર સુધીના અંકોમાં કબૂલ કરેલી છે અને તે પણ જરૂર જણાયેથી અમે રજૂ કરીશું. કારણ કે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાને શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યને જીતવ્યવહારના નામે પણ રજૂ કર્યું છે અને જે તે જીતવ્યવહાર હોત, તે તેઓ તે પ્રમાણે લખી શકત જ નહિ! ચોથો મુદ્દાના નિરૂપણને પ્રતિવાદ અપ્રાસંગિક વાત : ૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પિતાના બીજા અને ત્રીજા મુદ્દાના નિરૂપણમાં ક્ષયતિથિઓની નિયમિતતા જણાવી તેને કઠો પણ દર્શાવી દીધા પછી, ચેથા મુદ્દાના નિરૂપણમાં પ્રવેશતાં જ કહે છે કે “ચંદ્રસૂર્યના અંતરની અપેક્ષાએ તિથિ લેતાં અનિયમિત રીતિએ કઈ પણ પક્ષમાં કઈ પણ તિથિનો ક્ષય આવે.” આ વિષે તેમણે કેઈ શાસ્ત્રપ્રમાણ જણાવ્યું નથી, પણ ચંદ્રના ચારની અપેક્ષાએ તિથિ લેવી કે ચંદ્ર-સૂર્યના અન્તરની અપેક્ષાએ તિથિ લેવી, એ પ્રસ્તુત ચર્ચાનો વિષય જ નથી. કારણ કે ચંડાશુગંડુ પંચાંગને આધાર નિશ્ચિત થઈ ગયું છે, એટલે અમે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના અપ્રાસંગિક કથનની ચર્ચામાં ઉતરતા નથી.. ખોટી વાત : ૧. ચોથા મુદ્દાના નિરૂપણને બીજે ફકરે છેટી હકીકત રજૂ કરનાર છે, કારણ કે-પર્વતિથિના ક્ષયે પૂર્વની તિથિને તે અપર્વતિથિ હોય તે પણસર્વથા વ્યપદેશ નહિ કરો, એવું એક પણ જૈન શાસ્ત્ર કહેતું નથી, એ વાત બીજા-ત્રીજા મુદ્દાના નિરૂપણના સંયુક્ત પ્રતિવાદમાં સ્પષ્ટ રૂપમાં કહેવાઈ ગઈ છે. બે તિથિઓને નિજ નિજ કાર્યોમાં વ્યપદેશ થાયઃ ૧. પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિને અહોરાત્ર ક્ષીણ પર્વતિથિના અહોરાત્ર તરીકે પણ ગણાય છે, એટલે કે તે દિવસે બે તિથિઓની સમાપ્તિ હોવાથી, તે દિવસને સૂર્યોદય તે બને ય તિથિએને સમાપ્તિસૂચક ગણાય છે. આથી, તે દિવસે જે કાર્ય જે તિથિસંબદ્ધ હોઈને કરાય, તે કાર્યને અંગે તે જ તિથિને વ્યપદેશ થાય. જેમ કે–ચતુર્દશીને ક્ષય છે, તે ત્રાદશીસંબદ્ધ બલવાન કાર્યમાં ત્રયોદશીનો જ વ્યપદેશ થાય અને તે જ દિવસે પાક્ષિક ઈને પાક્ષિકાનુષ્ઠાન આદિ ચતુર્દશીસંબદ્ધ સર્વ ક્રિયાઓમાં ચતુર્દશીને જ વ્યપદેશ થાય. આથી પષધાદિની મુશ્કેલીને સ્થાન જ નથી. સંજ્ઞાને અભાવ ન થાયઃ ૧. “ પૂર્વ તિથિ થી ના આધારે પૂર્વની તિથિના વ્યપદેશને સર્વથા અભાવ થઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy