SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ] ૧૯૭ અંગે જે નીતિરીતિને અનુસરાય છે, તે નીતિરીતિથી પણ સાબીત થાય છે કે–પંચાંગકારે આખા અહોરાત્રને માત્ર સૂર્યોદયને સ્પર્શનારી જ તિથિ સંબંધીને ગણે છે એમ નથી. જેમ કે-જયતિથિ ઔદયિક હોવા છતાં તે આખો દિવસ તદ્વિહિત મૌવૃત્તિક અનુષ્ઠાનમાં લેવાતો નથી, પણ જ્યાં સુધી તેની ઘડીઓ ગવાતી હોય, ત્યાં સુધી જ જયા ગણાય છે અને જ્યારથી રિક્તાને ભેગકાળ ચાલુ થાય છે, ત્યારથી જયોતિથિ-વિહિત કાર્યો કરવાનું બંધ થાય છે અને રિક્તાતિથિ-વિહિત કાર્યો કરાય છે. તિથિ અને વારજન્ય શુભ-અશુભ યોગેનું તથા તિથિ અને નક્ષત્રજન્ય શુભઅશુભ ગોનું અસ્તિત્વ, એ જ પ્રકારે ગણાય છે. ઉદાહરણ તરીકે–વિ. સં. ૧૯૯૯ ના માગશર સુદી ૧૦ ને ગુરૂવારે ચંડાશુગંડૂ પંચાંગમાં ઔદયિક તિથિ દશમી ૧૬ ઘડી અને ૫૮ ૫લ છે. દશમી પૂર્ણતિથિ છે એટલે સૂર્યોદયથી ૧૬ ઘડી અને ૫૮ ૫લ પર્યન્ત તિથિ-વારને સિદ્ધિયેગ બને છે, પણ ઔદયિક દશમીને ૧૬ ઘડી અને ૫૮ પલને ભેગકાલ પૂરો થયા પછીથી તે ગ કાયમ રહેતું નથી, પણ તે પછી નન્દા અને ગુરૂવારજન્ય વેગ લાગુ પડે છે. વળી, બીજું ઉદાહરણ. પોષ સુદિ પ ને સેમવાર છે. તે દિને પંચમી માત્ર ૬ પલ છે. તે પછી ષષ્ઠીને ભેગ ચાલુ થાય છે. વલી તે દિવસે ૨૮ ઘડી અને ૧૯ પળ પ્રમાણ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર છે અને તે પછી ઉત્તરાભાદ્રપદ બેસે છે. જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે પંચમી, સોમવાર અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના યોગે “મિત્ર” નામક યોગ ઉત્પન્ન થાય છે, પણ આ દિવસે તેમ થશે નહિ. કારણ કે-પંચમી માત્ર ૬ પળ પર્યન્ત જ છે અને ઉત્તરાભાદ્રપદ ૨૮ ઘડી પછી લાગુ પડે છે, કે જે સમયે પંચમીનું અસ્તિત્વ હેતું નથી પણ ષષ્ઠી વિદ્યમાન હોય છે અને ષષ્ઠી–સોમવારના યંગે મિત્ર” પેગ બનતું નથી. આ ઉપરથી સમજી શકાશે કે–પંચાંગકારે ઔદયિક તિથિને અહેરાત્રવ્યાપિની માને છે, એવું જે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું કથન છે, તે બેઠું છે. એક જ સૂર્યોદયને બે તિથિઓને સૂર્યોદય માનવાનું વિધાન: ૧. પર્વતિથિઓની આરાધના આદિના પ્રસંગમાં તે, પર્વતિથિઓ દ્વારા પર્વદિવસે નક્કી કરવાના હોય છે અને એથી અમુક તિથિ અહોરાત્રવ્યાપિની છે કે નહિ–એ જોવાનું હોતું નથી. એમાં તે, સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ સંબંધી તે અહોરાત્રને માનીને, તે તિથિસંબદ્ધ અનુષ્ઠાનમાં તે અહોરાત્રને ઉપયોગ કરવાનું હોય છે. હવે તિથિક્ષયના પ્રસંગમાં જોઈએ, તે ક્ષીણતિથિ સૂર્યોદયસ્પર્શને પામેલી હોતી જ નથી, તે તે ક્ષીણતિથિના આરાધનને માટે શું કરવું અગર કયા અહોરાત્રને ઉપયોગ કરે? તેના સંબંધમાં જૈન શાસ્ત્રકારો જણાવે છે કે-જે દિવસે તે તિથિની સમાપ્તિ હોય, તે દિવસના સૂર્યોદયને તે ક્ષીણતિથિને સૂર્યોદય પણ માનઃ એટલે કે-તેવા પ્રસંગમાં એક સૂર્યોદયને બે તિથિઓવાળ માનવો. જુઓ, મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ પિતાના રચેલા શ્રી પ્રવચનપરીક્ષા નામના ગ્રન્થમાં ફરમાવે છે કે – " तेणं तिहिपडणे पुण पुन्वा न य उत्तरा य पवरतिही। कि संबंधाभावे लब्भं लंभिज्जए किंची ॥ २१३ ।। " येन कारणेन तिथ्यादेः समाप्तिसूचकोदयः प्रधानस्तेन कारणेन तिथिपतने-तिथिक्षये पुनः पूर्वा तिथिर्युक्ता, न च प्रवरतिथिरप्युत्तरा-अग्रेतना, चतुर्दशीपाते त्रयोदशी ग्राह्या, न पुनः पूर्णिमादिरित्यर्थः, अत एव वृद्धप्रवादागतं श्रीउमास्वातिवाचकवचनं यथा-"क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy