SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ [ જૈન દષ્ટિએ તિથિનિ અને પર્વરાધન.. ૪. વળી, ચૂર્ણિકાર મહાત્માઓના સમયમાં ચતુર્માસી આષાઢ, કાર્તિક તથા ફાલ્ગનની પૂર્ણિમાએ હતી અને પાક્ષિક ચતુર્દશીએ હતું. પાક્ષિકપર્વ કરતાં ચતુર્માસીપર્વ પ્રધાન છે, એટલે તે સમયમાં આષાઢાદિની પૂર્ણિમાના ક્ષયે આષાઢાદિની શુકલા ચતુર્દશીએ મુખ્યતયા વ્યપદેશ આષાઢાદિની પૂર્ણિમાનો થાય અને ગૌણતયા વ્યપદેશ આષાઢાની શુકલા ચતુર્દશીન પણ થાય, એવું શ્રી તત્ત્વતરંગિણીકારના કથનથી તે ઘણુ સ્પષ્ટ રૂપે સાબીત થાય છે. શ્રી તત્ત્વતરંગિણકારે ક્ષીણપતિથિની સંજ્ઞા કરવાનું જણાવવા સાથે જ પૂર્વાતિથિની સંજ્ઞાને કાયમ રાખવાનું જણાવ્યું છે: ૧. આમ છતાં પણ, શ્રી તત્ત્વતરંગિણીના નામે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે એમ જણાવ્યું છે કે-“ટીપણામાં પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાંની અપર્વતિથિનો વ્યપદેશ કરે જ નહિ, પરંતુ તે દિવસે ક્ષય પામેલી એવી પણ પર્વતિથિનો જ વ્યપદેશ કરો.”—તે તદ્દન ખોટું છે. શ્રી તત્ત્વતરંગિણકારે તેમ કહ્યું જ નથી. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પોતાના આ કથનમાં બે વાત કહી છે. (૧) પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાંની અપર્વતિથિનો વ્યપદેશ કરે જ નહિ અને (૨) પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાંની અપર્વતિથિના દિવસે ક્ષીણ એવી પર્વતિથિને જ વ્યપદેશ કરે. શ્રી તત્ત્વતરંગિણીમાંના જે પાઠ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ આપ્યા છે, તે જોતાં પણ-“પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિનો વ્યપદેશ કરે જ નહિ”—એવું પૂરવાર થતું નથી, પણ એથી ઊલટું એવું પૂરવાર થાય છે કે પર્વતિથિના ક્ષયે તેની પૂર્વતિથિના વ્યદેશને સર્વથા અભાવ થઈ શકે જ નહિ.” તેમ જ “તે દિવસે ક્ષીણ પર્વતિથિને જ વ્યપદેશ થાય” -એવું પૂરવાર થતું નથી, પણ “તે દિવસે પૂર્વતિથિને વ્યપદેશ પણ થઈ શકે જ'—એવું પૂરવાર થાય છે. આ માટે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રી તત્ત્વતરંગિણીમાંના જે પાઠો આપ્યા છે, તેના ઉપર દૃષ્ટિપાત કરી લેવું પડશે. અનુક્રમ તેમને છે તે જ અત્રે પણ રાખીએ છીએ. અમ-(૧) આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલા આ પાઠને મા પાઠમાં શ્રી તત્વતરંગિણી કારશ્રીએ ખૂલાસો કરે છે, પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ તે ખૂલાસાના પાઠને આદ્ય ભાગ તજી દીધું છે; એટલું જ નહિ, પણ પિતે રજૂ કરેલ પાઠમાં આવતી “ત્યમિકા આ પંક્તિને અર્થ પણ કર્યો નથી, કેમ કે-આ પંક્તિને અર્થ, છડી દીધેલા આદ્ય ભાગને ગ્રહણ કર્યા સિવાય થઈ શકે તેમ છે જ નહિ. (૨) આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ મા તરીકે રજૂ કરેલા પાઠને જે આદ્ય ભાગ છોડી દીધું છે, તે આ પ્રમાણે છે-“ર ૨ પામ્ ચતુર્વવેત્યમ્, રાગ તુ “અવનવી' નેન પિરાसंज्ञाऽपि गृह्यते, तत्कथं न विरोध इति वाच्यं, प्रायश्चित्तादिविधावित्युक्तत्वात् , गौणमुख्यમેવાત ” (૩) શ્રી તત્ત્વતરંગિણીકારશ્રીએ પહેલાં તે એમ કહ્યું કે-ચતુર્દશીના ક્ષયે તેરશે તેરશ એવા વ્યપદેશનો પણ અસંભવ હોવાથી પરંતુ પ્રાયશ્ચિત્તાદિવિધિમાં ચતુર્દશી જ એવો વ્યપદેશ થતો હોવાથી, ઔદયિક તિથિના સ્વીકારમાં અને અન્ય તિથિના તિરસ્કારમાં તત્પર એવા આપણને તેરશને ચૌદશપણે સ્વીકાર કરે, એ કેવી રીતિએ યોગ્ય છે?” પરન્તુ તેઓશ્રી સમજતા હતા કે-“મારા આવા કથનના ભાવને પામવામાં પંગુ માણસ મારા આ કથનને દુરૂપયેગ કરીને, ચૌદશના ક્ષયે તેરશના દિવસને તેરશ કહેવાય જ નહિ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy