SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ] તેને તજવાના ઉપદેશ આપવાપણું પણ પછી તેા નહિ રહેવા પામે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે પ્રવૃત્તિને આચરણા તરીકે જણાવી છે, તે પ્રવૃત્તિ આચરણાલક્ષણેાપેત નથી, પણ આચરણાલક્ષણાષ્ઠિત છે, માટે જ આવા પ્રકારની આપત્તિએનું સૂચન કરવામાં આવ્યું છે : કારણ કે–અમે બન્નેમાંથી એકને પણ તેવા પ્રકારની આપત્તિઓની પ્રાપ્તિ ષ્ટિ નથી જ. શ્રી ધર્મરત્ન પ્રકરણના પાઠના અસંગત, અસંખદ્ધ અને જુઠ્ઠો અર્થ : ૧. હવે અમા આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પેાતાના પહેલા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણમાંના છઠ્ઠા અને સાતમા ફકરાના સંબંધમાં અમારૂં કથન રજૂ કરીએ છીએ. મજકુર છઠ્ઠો અને સાતમા કરો નીચે મુજબના છે— ૧૮૩ “ આ જીતઆચારની શ્રી ધર્મરત્નપ્રકરણમાં એટલી બધી પ્રબળતા જણાવી છે કે આગમમાં જેમ ભાદરવા સુદિ પાંચમની સવત્સરી, અને આષાઢ—કાર્તિક તથા ફાલ્ગુનશુકલા પૂર્ણિમાની ચાતુર્માસી છતાં તેનાથી જુદી રીતે-જે દિવસે તે ભા. સુ. પાંચમને કે આષાઢાદિ પૂર્ણિમાના સૂર્યોદયસ્પર્શ-તે તે તિથિનો ભાગ કે તે તે તિથિની સમાપ્તિ, એ ત્રણેમાંથી કાંઈ પણ ન હાય તો પણ તે–ભાદરવા સુદિ ચોથના દિવસે અને આષાઢાદિ ચતુર્દશીને અનુક્રમે સંવત્સરી અને ચાતુર્માસી તરીકે આચરેલી છે, તે આગમની માફ્ક જ પ્રમાણિક ગણવી. અર્થાત્ આગમથી જુદી રીતની પણ આચરણાને માર્ગને અનુસરવાવાળા સુવિહિતાએ પ્રમાણિક ગણવી જ જોઇએ, ’’ Ο ૨. ઉપરના ફકરા વાંચનારને સહજ રીતિએ એવા જ આભાસ થાય કે—આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે વાકયો ........” આવી નિશાની સાથે લખ્યાં છે, તે સર્વ વાકયો ખૂદ શ્રી ધર્મરત્નપ્રકરણકારનાં પેાતાનાં છે. વસ્તુતઃ તેમ છે જ નહિ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પૂર્ણિમા– અમાવાસ્યાની વૃદ્ધિના પ્રસંગમાં પહેલી પૂનમે પહેલી અમાસે ચતુર્દશી અને ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિના પ્રસંગમાં ભાદરવા સુદ પહેલી પાંચમે ભાદરવા સુદ ૪ માનવાનું મન્તવ્ય ધરાવતા હોવાથી, અને પોતાના નિરૂપણમાં પોતાની તે શાસ્ત્રવિરૂદ્ધ વાતને પણ માનવા લાયક તરીકે સાબીત કરવાનો તેમને પ્રયાસ હોવાથી, પોતે જેવું કહે છે તેવું શ્રી ધર્મરત્નપ્રકરણકાર પણ કહે છે–એવું તેમના નિરૂપણને વાંચનારના મગજમાં ઠસાવી દેવાના હેતુથી જ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “ જે દિવસે તે ભા. સુ. પાંચમના કે આષાઢાદિ પૂર્ણિમાના સૂદિયસ્પર્શ તે તે તિથિના ભાગ કે તે તે તિથિની સમાપ્તિ, એ ત્રણમાંથી કાંઈ પણ ન હોય તે પણ તે ”–આ શબ્દો શ્રી ધર્મરત્નપ્રકરણકારશ્રીના નહિ હેાવા છતાં પણ, તેમાં લખી દીધા છે. શ્રી ધર્મરત્ન પ્રકરણના પાઠમાંથી પણ એવા અર્થ નથી જ નીકળતા, એટલે આચાર્ય શ્રી સાગરાનન્તસૂરિજીએ શ્રી ધર્મરત્ન પ્રકરણના પાના અસંગત, અસંબદ્ધ અને એથી દ્રો અર્થ કર્યા છે, એમ કહી શકાય. શ્રી ધર્મરત્નપ્રકરણકારે સ્પષ્ટ રૂપમાં ‘પર્યુષણાદિની તિથિઓની’ પરાવૃત્તિ સૂચવેલ છે, નહિ કે—પર્યુષણાદિની તિથિઓને કાયમ રાખીને તે તિથિઓના દિવસેાના પરાવર્તનને ! ભાદરવા સુદ ચેાથના દિવસે ભાદરવા સુદ પાંચમ માનવાનું અને આષાઢ, કાર્તિક તથા ફાલ્ગુનની શુક્લા ચતુર્દશીએએ આષાઢાદિની પૂર્ણિમાઓ માનવાનું જો શ્રી ધર્મરત્નપ્રકરણકારે સૂચવ્યું હાત, તા તા આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે વાકયો લખ્યાં છે તે અર્થસંગત ગણાત, પ્રકરણસંબદ્ધ ગણાત અને એથી વ્યાજબી પણ ગણાત! પણ શ્રી ધર્મરત્નપ્રકરણકાર તા સાંવત્સરિક આદિ જે ભાદરવા સુદ પાંચમ આદિમાં હતું અને એથી જ આગમમાં સાંવત્સરિકાદિની તિથિ તરીકે ભાદરવા સુદ પાંચમ આદિને જણાવેલ છે, તે સાંવત્સરિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy