SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ] ૧૬૭ વીસમા દિવસને અને ૩૬૦ મા દિવસને નહિ લંધવાની વાત જણાવવામાં આવી છે અને અત્રે તે વાત આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના શબ્દોમાં કહેવાથી આ વિષે વિવાદાસ્પદપણું નથી તે જણાઈ આવશે. શ્રી સિચક્ર વર્ષ ૪ થાના અંક ૧૨ મામાં રૃ. ૨૭૩ અને ૨૭૪ ઉપર તે જણાવે છે કે— જૈનશાસ્ત્રકારો મુખ્ય ઉદ્દેશ સર્વ કર્મના નાશ રૂપી મેાક્ષ અગર સર્વ કર્મની જડ રૂપ એવા માહનીય કર્મને નાશ કરવા માટેના રહેલા છે અને તેથી જ એક સવચ્છરીથી ખીજી સંવચ્છરીની વચ્ચે બાર માસ રાખી એક દિવસ પણ વધવાની મનાઈ કરવામાં આવી છે, કેમકે જો તેમાં એક પણ દિવસ વધી જાય, તે પંદરથી એક દિવસ વધતાં જેમ સજ્વલન કષાયપણું મટી પ્રત્યાખ્યાનાવરણીય કષાયપણું થાય અને ચાર માસમાં એક પણ દિવસ વધતાં પ્રત્યાખ્યાનાવરણીયપણું મટી અપ્રત્યાખ્યાની કષાયપણું થાય છે, તેવી રીતે જો (બાર) માસમાં એક પણ દિવસ વધી જાય, તો તે છેવટે અપ્રત્યાખ્યાનીપણું છેાડીને અનંતાનુબંધીપણામાં પેસી જાય, અને અનન્તાનુબંધીપણામાં જે મનુષ્યના કષાય પેસે તેને સમ્યક્ત્વ નથી એમ ચોખ્ખું કહી શકાય, કેમકે અનંતાનુબંધી કષાયા સમ્યક્ત્વો નાશ કરનારા છે એવે સ્પષ્ટ ઉલ્લેખ સ્થાન સ્થાન ઉપર શાસ્ત્રોમાં ચાખા અક્ષરે છે, અને આવા બાર મહિનાથી અધિક એટલે અનન્તાનુબંધીના કાય રાખનાર મનુષ્ય સાધુ હાય કે શ્રાવક હાય, પણ તે સળેલા ( સડેલા ) પાન જેવા ગણાય, અને તેથી તેને કાઢી નાખવા જોઈએ, માટે શાસ્ત્રકારે તે સવચ્છરીને દિવસે કષાય નહિ વાસરાવનારને સાધુસમુદાયમાંથી કાઢી મેલવાનું જણાવે છે, આ ઉપરથી સજ્વલનને અંગે પાક્ષિક, પ્રત્યાખ્યાનાવરણીયને અંગે ચાતુર્માસિક અને અપ્રત્યાખાનીને અંગે ( સવચ્છરી ) પડિકપણું કરવાનું નિયમિતપણે જાણી શકાશે. '' વર્ષના અંક ૧૯ ૨૦ મામાં રૃ. ૪૫૨ ઉપર t વળી આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તે જ જણાવે છે કે— k અધિકરણ કરનારા સાધુ અધિકરણુ ઉત્પન્ન થયું ત્યારથી જો પંદર દિવસમાં ન સુધરે તે આખા સાધુસમુદાય તેને વંદન કરવું બંધ કરે, બીજે પખવાડીએ ન સુધરે તે સાધુસમુદાય તેની સાથે ભાજનવ્યવહાર બંધ કરે, ત્રીજે પખવાડીએ સૂત્રાર્થ માંડલી બંધ કરે, અને ચોથે પખવાડીએ શાંત ન થાય તે સાધુસમુદાય તેની સાથે ખેલવું પણ બંધ કરે. આવી રીતે બે મહિના સુધી ગચ્છે સમજાવવાનું અને વ્યવહાર બંધ કરવાનું કર્યો છતાં જો બે મહિના સરખી મુદતે પણ અધિકરણને વાસરાવી શાંત થાય નહિ તે પછી ઉપાધ્યાય આચાર્ય મહારાજે પણ ચાર ચાર મહિનાના હિસાથે ભાજન, સૂત્રાર્ય અને આલાપ અનુક્રમે સમજાવતાં પણ ન સમજે અને અધિકરણ ન વાસરાવે તથા શાંત ન થાય તો અનુક્રમે બંધ કરવાના થાય છે, અર્થાત્ સંવરીની રાત્રે થયેલા અધિકરણના હિસાબે બીજી સંવરીના પઢિકમણા પહેલાં, તે મચ્છ અને ઉપાધ્યાય આચાર્ય, એ બધાથી વંદનાદિક બધા વ્યવહારની અપેક્ષાએ દુર કરવા લાયક, અગર શાંત થાય તો મૂળ પ્રાયશ્ચિત્તને લાયક થાય. '' ૬. ઉપરના બન્ને ઉલ્લેખા ઉપરથી તમે સમજી શકશે। કે—પાક્ષિક પ્રતિક્રમણ સાલમા દિવસે, ચાતુર્માસિક પ્રતિક્રમણ એક સેા એકવીસમા દિવસે અને સાંવત્સરિક પ્રતિક્રમણ ત્રણ સેા એકસઠમા દિવસે કરવામાં આવે, તેા પણ કેટલી બધી દોષપાત્રતા રહેલી છે ? ત્રણ સા સાઈઠમે દિવસે સાંવત્સરિક પ્રતિક્રમણ નહિ કરનાર સાધુ તે, સાધુસમુદાયમાં રાખવા લાયક રહી શકતા નથી; એટલું જ નહિ, પણ એ સાધુ ત્રણ સે। એકસઠમે દિવસે એટલે માત્ર એક દિવસ પણ ઉલ્લંઘીને સાંવત્સરિક પ્રતિક્રમણ કરે તેા પણ મૂળ પ્રાયશ્ચિત્તને યાગ્ય એટલે પુન: દીક્ષાને ચેાગ્ય અને છે; અર્થાત્—તેના પૂર્વકાલીન સઘળા ય દીક્ષાપર્યાયને રદ ખાતલ ગણવામાં આવે છે. વળી પાક્ષિક પ્રતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy