SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અશાતા વેદનીય માત્ર શરીરને પીડે છે. જ્યારે મોહનીય કર્મ મનને પીડે છે, ન કરવાના પાપો કરાવે છે? છતાં આપણને શેની હાય-વોચ વધુ લાગે ? રોગ આવે એની કે રાગ થાય એની ? આપણી દષ્ટિ રોગ તરફ છે પણ રાગ તરફ જોઈએ. આ મોહનીય કર્મના ઉદયનો સંસાર બહુ ભયંકર છે. આ ચાર શરણ જ રક્ષક છે. કેન્સરના રોગમાં શીતલતા અપાવે. આત્માની પરિપૂર્ણ રક્ષા કરે. જ્યાં જઈએ ત્યાં આ ચાર શરણને હૃદયમાં રાખીને જવાનું.. કો નવિ શરણં કો નવિ શરણં.... અશરણ છે બે ને એ હરણ અરિહંત, સિદ્ધ-સાધુ અને ધર્મ એ ચાર જજીવને શરણરૂપ છે એના વગર જીવ આ ઘોર સંસારમાં અશરણ છે, નિરાધાર છે, સિંહ જંગલમાં ફરવા નીકળે ને હરણોના ટોળા પર તરાપ મારીને મોંમાં લઈ લે અને સામે હજાર હરણ હોય તો પણ જોયા કરે, આ હરણને બચાવી ન શકે. મૃત્યુરાજારૂપી સિંહ જ્યારે ત્રાટકશે ત્યારે આજુબાજુના બધા સગાઓ, માતા-પિતા-ભાઈ-બહેન-બનેવી-કાકા-બાંધવો બધા ભેગા થઈને પણ તમને મૃત્યુથી બચાવી શકશે નહિ. મૃત્યુ આગળ કાંઈ ચાલવાનું નથી. આયુષ્ય કર્મ પૂરું થયા પછી તમે ૧ સેકન્ડ પણ જીવવાના નથી. કુદરતનો આ કાયદો તીર્થકરોને પણ લાગુ પડે. તિર્થકરમાં તો અચિંત્ય સામર્થ્ય, જબરજસ્ત પુચ્ચાઈ, છતાં એવા પણ ભગવાન પોતાનું ૧ સમયનું આયુષ્ય ન વધારી શકે, ગઈકાલે (૫૫) ૫૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy