SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અધિક કરીએ એટલે સ્વાભાવિક થતું જાય ને એમ કરતાં વધુ ને વધુ આગળ વધાય. વીર્ચાતરાયનો ક્ષયોપશમ થાય. કેટલા મહાન ગુરૂ મળ્યા ! જિનશાસનમાં ઘણા ગુરૂઓ છે. દરેકમાં તરતમતા હોય. એમાંય જ્ઞાની, તપસવી, સારા સ્વભાવના ગુરૂ મળ્યા. હવે પુરૂષાર્થ નહિ કરીએ તો કર્મ વાંકુ થઈ જશે. બિહામણો સંસાર : સંસાર, અનાદિથી કર્મના સંયોગથી ચાલે છે. પણ ભલે ને ચાલે, શું વાંધો છે? વાંધો એ કે આ સંસાર દુઃખરૂપ છે. દુઃખના ફળવાળો છે અને દુઃખની પરંપરાવાળો છે. વર્તમાનકાળે દુઃખરૂપ છે. કોઈને શરીરની તકલીફ હોય, કોઈને દુકાનની, કુટુંબના ટેન્શનો હોય. ગમે તેટલા મોટા માણસો હોય પણ અંદરથી દુખીના દુઃખી. વળી સંસારનું ફળ પણ દુખ. કડવી દવા પીધા પછી રાહત થતી હોય તો બરાબર, પણ સંસારની બધી પ્રવૃત્તિમાં વર્તમાનમાં દુઃખ અને ભવિષ્યમાં એના ફળરૂપ દુઃખ ભોગવવાનું. એની પરંપરાએ પણ વળી પાછું દુઃખ. છૂટકારો જ નહિ. અનુબંધવાળા કર્મો બંધાયા હોય તે ઉદય વખતે વધુ પાપ કરાવે ને વધુ દુઃખ ભોગવવાનું અનંતાનંત કાળ નિગોદમાં અને તેમાંથી નીકળ્યા પછી મહાભયંકર અચરમાવર્ત કાળ. સંસારમાં બધા ભવો અનંતવાર આ કાળમાં કર્યા. માત્ર અનુત્તરવાસીના ભવ, ઈન્દ્ર વિ. અને ૬૩ શલાકા પુરૂષના ભાવો ન મળે. બાકીના બધા ભવો અનંતીવાર કર્યા. પછી અથડાયા-કુટાયા પછી ચરમાવર્ત મળ્યો. તેમાં પુણ્ય જાગ્યું ને દેવ-ગુરૂ-સારૂ કુળ મળ્યું. નિયતિ, ભવ્યત્વ, ૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy