________________
અનંતગણું દુઃખ! કાચા પાણી તરીકે હોઈએ ત્યારે કોઈ ઉકાળે ને ઉકળી જવાનું, કુટ - કેરી શાકભાજી તરીકે હોઈએ ને કપાઈ જવાનું
પ્રાયઃ જે ઘરમાં દીક્ષા થાય તે ઘર ધર્મી બની જાય. પાપ કરતાં યાદ આવે કે મારા દીકરાએ તો દીક્ષા લીધી છે. પછી મારાથી આવા પાપ કેમ કરાય ? એક નહિ બધા સાધુમાં પોતાના દીકરાનાં દર્શન થાય. બધા સાધુ ભગવંતની વૈયાવચ્ચ ઉલ્લાસથી કરે.
આ સંસારથી છૂટવા ગુરુની સેવા-ભક્તિથી ભગવાનને મેળવવાના. ગુરુની ભક્તિ એવા ભાવથી કરે કે સમાપરિયોગથી ભગવાન મળે. આંખ બંધ કરે ને ભગવાન નજર સામે આવી જાય એ સમાપત્તિ યોગ. આ દુનિયાના ઘણા દોષો અને પાપો એમના સાનિધ્ય માત્રથી નાશ પામી જાય. ઘણા ઓછા થઈ જાય. આ ભગવાન જગતના સર્વ જીવોના કલ્યાણમાં કારણભૂત છે.
હું મૂરખ છું કે દીક્ષા લેતો નથી. ભગવાન આવા અચિંત્ય શક્તિવાળા, પરમ કલ્યાણ સવરૂપ પણ હું કેવો ? હું મૂર્ખ છું. આંગણે ઉગેલા કલ્પવૃક્ષને ઉખેડી દે, ચિંતામણી રત્નને ફેંકી દે એ ડાહ્યો કે મૂરખ? અહિં મનુષ્યભવ એમાંય જિનશાસન ચિંતામણીરત્ન જેવું મળ્યું તે કયાં ફેંકવાનું? સ્કૂલમાં, કોલેજમાં, ધંધામાં, મેચમાં, સંસારમાં ફેંકી દીધું. ભગવાનની સેવા ન કરી, આજ્ઞાનું પાલન ન કર્યું અરિહંત મળ્યાને ચારિત્ર્ય ન લીધું. ખંભાત ભાણાભાઈ રોજ
૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org