________________
કરીશ, સ્મશાનભૂમિમાં એવો સ્થિરધ્યાને ઉભો રહીશ કે બળદો આવીને મને થાંભલો સમજીને મારા શરીરને ઘસશે... હું સમતાપૂર્વક સહન કરીશ, ક્ષપકશ્રેણિ માંડીશ વિગેરે આ મનોરથો કરવામાં ક્યા રૂપિયા ખરચવાના છે? સંસારમાં પૈસા કમાવવામાં મનોરથો કરો જ છો ને ! પૈસા કમાઈશું-નવું ઘર રાચરચીલું - સગવડો કરશું. સંસારના પાપકાર્યમાં કરીએ તો આ તારનાર એવા ધર્મમાં નહિ?
ગુણસાગર, મનોરથોની હેલીએ: (ગુણસાગર મનોરથે ચડે છે. સાથે એની આઠ પત્નીઓ હજી તો લગ્નના વરઘોડામાં છે છતાં વિચારે છે. આપણે પણ આવતીકાલે પતિ સાથે ચારિત્ર લઈશું... આ બાજુ લગ્નની ચોરીમાં ફેરા ફરે છે, હાથ પર હાથ છે. છતાં મનમાં મનોરથ કે આવતી કાલે છૂટયા. ચારિત્ર લઈને એવા ગુરુના પગ પકડીશું કે એક ક્ષણ માટે પણ હૃદયમાં એમનો વિયોગ ન રહે. ગુરુની ઈચ્છા મુજબ જીવન જીવીશું. આપણી જાત સમર્પણ કરી દઈશું. એમનો ઉત્તમ વિનય કરશું એમની કૃપા મળશે સાથે સ્વાધ્યાયનો ઘોષ ચાલશે જ્ઞાન મેળવવા મહેનત કરશું વૃદ્ધ સાધુઓની સેવા કરશું. મહાત્માઓની તન તોડીને વૈયાવચ્ચ કરશું. બધાના નોકર-ચાકર બનીને ભક્તિ કરશું. રાત પડે એટલે કાઉસગ્ગ લગાવીયે બેસી જશું. .... અને અહીં મનોરથોની ધારા ચાલુ
બીજી બાજુ કેટલાય વાજિંત્રોના નાદ ચાલે છે. ધવલ મંગલના સૂર સંભળાય છે. શ્રેષ્ઠિપુત્ર છે. મોટો એવો લગ્નપ્રસંગ
(૧૫૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org