________________
દુષ્કૃત-ગહ How? (૧) આ પાપ કરવા જેવું નથી છતાં મેં કર્યું. પાપમાં અકર્તવ્યપણાની બુદ્ધિ જોઈએ.
અરે ! આટલી હિંસા કરી, પરિગ્રહ કર્યા, ન કરવા જેવું કેટલુંય કર્યું.
આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેવાની હતી. એ ન લીધી. એ પણ ભગવાનનો ગુનો ખરો ને? આ મનુષ્યજીવન શેના માટે? પૈસા કમાવવા, સ્ટંબ ચલાવવા, ના? માત્ર આત્માની આરાધનાસાધના કરવા. ચારિત્ર લેવા.
આપણે સંસારમાં રહ્યા. પાપો કર્યા, છતાં બચાવ કરીયે કે સંસારમાં રહ્યા એટલે પાપો તો કરવા જ પડે ને ! આવો બચાવ ન જોઈએ. અકર્તવ્યપણાની બુદ્ધિની પ્રધાનતા જોઈએ. હું કુદરત/કર્મસત્તાનો ગુનેગાર છું. એથી આગળ વધીને દેવગુરુના વચનાથી વિપરીત કેટલુંય કર્યું એ પણ દુષ્કૃત જ છે ને! આ પાપોની ગદ્ગદ્ કંઠે નંદા કરો. દુકૃતોને યાદ કરતા આંખમાં આંસુ જોઈએ.
સમાધિ દુર્લભ છે. લબ્ધિસૂરિ મ. સ્તવનની પંક્તિમાં લખ્યું “હું પાપી છું. નીચ ગતિ ગામી” દિવસમાં કેટલીવાર આવું યાદ કરો છો? આપણે થોડી આરાધના કરીને એમ માની બેઠા છીએ કે મોક્ષ બે-ચાર ભવમાં થઈ જવાનો છે. પણ સારા કાળમાં જ્યાં સમાધિ
(૧૧૩)
( ૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org