________________
ચોગનું આ મોટું ફળ છે. ધર્મી આત્માને એ સહિષ્ણુતા આપે. ભલે ને ગમે તેટલી મોટી આપત્તિ આવે તેમાં પણ એને સહન કરવાની શક્તિ મળે. એ સમજે કે સુખ એ જેમ ભ્રમણા છે તેમ દુઃખ એ પણ ભ્રમણા છે. પણ અનાદિના અભ્યાસને કારણે આપણે એમાં રાગ-દ્વેષ કરીએ છીએ.
રાગ-દ્વેષ એ આત્માના સીધા રોગ છે. કેન્સર એ તો બાહ્ય રોગ છે. શરીર અને આત્માનો સંયોગ એ દુઃખી કરે છે. હકીકતમાં શરીર એ પણ પાડોશી છે. ધર્મ જેમ પરિણમે તેમ દુઃખની સહિષ્ણુતા આવે.
ધર્મના બે મોટામાં મોટા ફળ કે અનિકાચિત કર્મો તો નાશ પામી જાય અને નિકાચિત કર્મના ઉદયે સહિષ્ણુતા આવે.
દુષ્કતગહનું ફળ શું? અનાદિના પ્રણિધાનપૂર્વક પાપ કર્યાને આજે પણ ચાલુ જ છે. એનાથી અનુબંધવાળા પાપકર્મો બાંધ્યા છે. પ્રણિધાનથી કર્મો અનુબંધવાળા બંધાય. તે પરંપરા ચલાવે ને તીવ્ર રસવાળા કર્મો વધુ તીવ્રતાથી ભોગવવા પડે.
હવે જેટલા પ્રણિધાનપૂર્વક કર્મ કર્યા એટલા જ કે એનાથી વધુપ્રણિધાન પૂર્વક દુષ્કતગહ કરવાની છે. તેનાથી અનાદિના અશુભ બંધો તૂટશે એનાથી કર્મોનો રસ મોળો પડશે. અશુભ કર્મ ભોગવવું નહિ પડે. દુષ્કતગહ વિના કોઈ દિ સંસારની પરંપરા ન તૂટે. અનુબંધ તોડતા તોડતા ક્યારેક તીવ્ર કોટિનો ભાવ આવી જાય તો અનુબંધ તૂટે, કર્મો તૂટે. વળી ક્યારેક તો બીજા પણ દુષ્કૃતના ફળો ધોવાઈ જાય.
(૧૧૧)
૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org