________________
કાળના, પલ્યોપમના દેવલોકના સુખ આ ધર્મથી મળે. આરોગ્ય, ચશ, સંપત્તિ, સૌભાગ્ય, આ દુનિયામાં જેટલા સુખો છે તે બધા ધર્મથી જ મળે.
(૫) મૂવવિવિપુ: કર્મરૂપી વનને બાળવા અગ્નિ સમાન ધર્મ છે. સરકાર જંગલોનો કેવી રીતે નાશ કરે? આગ લગાડી દે. આ ધર્મ કર્મરૂપી જંગલોને બાળી નાખનાર છે.
(૬) સાદો સિદ્ધાવસ્મ: સિદ્ધપણાને સાધી આપનાર છે. ધર્મથી જ મોક્ષ મળે. ધર્મ કદાપિ સંસારમાં રખડાવે નહિ
સંસારથી અટકાવી મોક્ષમાં લઈ જનાર કેવલી ભગવંતે બતાવેલા ધર્મનું મને શરણ હો.
મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી બધા સુખના ભવો આ ધર્મ આપે પણ એની વફાદારી જોઈએ. ધર્મ આધ્યાત્મિક અને ભૌતિક બેય રીતે આગળ વધારે.
આ ધર્મ આચરવાનો સાથે આપણા કુટુંબીઓને પણ આ માર્ગે વાળવાના. એમના આત્માની પણ ચિંતા કરવાની. કુટુંબી સાથે સંસારના સંબંધથી નહિ પણ ધર્મના સંબંધથી, સાધર્મિક્તાથી જોડાઓ તો પછી એનું ભરણ પોષણ પણ સાધમિકની ભક્તિ તરીકે થાય.
આ ધર્મનું સાચું શરણ સ્વીકારવા એમાં દટ શ્રદ્ધાવાળા થવું પડે. ભગવાને કીધું તે અક્ષરે અક્ષર સાચું છે. એમાં લેશ પણ શંકા ન જોઈએ. ભગવાને કીધું કે ૬૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org