SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૦ ] માનસિક પવિત્રતા જાળવવા માટે યાત્રિકે વિષય અને કષાયથી પણ દૂર રહેવું જોઈએ. (૨) વાચિક પવિત્રતા–એટલે વાણી વચન સમ્બધી પવિત્રપણું તીર્થયાત્રામાં યાત્રિકે વાચિક પવિત્રતા અર્થાત વાણી -- વચનને સંયમ અવશ્ય શખ જોઈએ. કદી પણ તીર્થના, તીર્થયાત્રાના, સંઘયાત્રાના કે ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલવા ન જોઈએ. કોઈની પણ નિંદાકુથલી કરવી ન જોઈએ. અસત્ય, અશ્લીલ કે કટુ ભાષા બોલવી ન જોઈએ. - મૈથુન સંજ્ઞાને પિષનાર-ઉત્તેજિત કરનાર એવી સ્ત્રીકથાને, આહાર સંજ્ઞાને પિષનાર એવી જનકથાને, તથા ભયસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાને પોષનાર એવી દેશક્યા ને રાજકથાને પણ તિલાંજલિ દેવી જોઈએ. આમ કરવાથી દાન, શીલ, તપ અને ભાવતું આરાધન સારી રીતે થઈ શકશે. વાણું-વચન ઉપર કાબુ રાખી તીર્થના, તીર્થયાત્રાના સંઘયાત્રાના કે ચતુર્વિધ સંઘના ગુણાનુવાદ અવશ્ય કરશે. વાણી-વચનની પવિત્રતા રાખશે. (૩) કાયિક પવિત્રતા–એટલે શરીર સંબંધી પવિત્રતા, તીર્થયાત્રામાં યાત્રિકે અંગશુદ્ધિ, આચરણવિશુદ્ધિ અવશ્ય રાખવી જોઈએ. પુરુષ કે સ્ત્રીએ રેગાદિ કારણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy