SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૮ ] સાથે ગળગળા સાદે મહારાજા બોલ્યા, “હે સાજણ ! આજે તે મારી અને ભાવના પલટાવી દઈ મને જાગૃત કર્યો તું તે મારે ખરેખર કલ્યાણમિત્ર બન્યા. હવે મારે એ સૌરાષ્ટ્રની મહેસુલના ૧ર કેડ સેનૈયા લેતા નથી. મારે તે એ ભવ્ય મંદિરના નિર્માણના સુકૃતનું અમાપ પુણ્ય, અક્ષય કલ્યાણ જ જોઈએ.” મહારાજા સિદ્ધરાજ એ સાડા બાર કોડ નયા કરતાં પણ અધિક અમાપ પુણ્ય ઉપાર્જન કરી પાટણ આવી પહોંચ્યા. આ બાજુ વંથલીથી દાનવીર સાકરિયા શેઠે પણ રને સાથે ગિરનાર આવી, સાજણ દંડનાયકની આગળ સાડા બાર કોડની કિંમતનાં રત્નને ઢગ કરી દીધું. આ જોઈ મંત્રીશ્વર દંડનાયકના આનંદને પાર રહ્યો નહીં. - પછી સાજણદેએ સાકરિયા શેઠને મહારાજા સિદ્ધરાજ અહીં આવ્યા ઈત્યાદિ સર્વ વૃત્તાંતથી વાકેફ કરી કહ્યું કે“શેઠ ! આ તીર્થના પ્રભાવે સેવે સારાં વાનાં થઈ ગયાં છે. હવે આપના સાડા બાર કોડ સોનાની કિંમતનાં આ રત્નગની જરૂર નથી. આ સાંભળી સાકરિયા શેઠે કહ્યું. “મંત્રીશ્વર! આ શું બાલ્યા જયારથી આપ કહી ગયા ત્યારથી આ ધન ધર્મના નામે જુદું જ કાઢી રાખ્યું છે. હવે હું તેને ઉપભોગ કરી શકું નહિ.” છેવટે મંત્રીશ્વરે સાકરિયા શેઠની શુભ ભાવના સફળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy