________________
ગોસાંઈજી મહારાજનું વચન
ગોસાંઈજી મહારાજે કહ્યું, “શેઠજી, ગૌમાતા અને બીજાં મૂંગા જનાવરો પ્રત્યે આપણે દયા નહિ બતાવીએ તો કોણ બતાવશે ? શેઠજી, તમારું કામ એ આપણા સૌનું કામ છે. આપે નિભાવ ફંડની વાત કરી તો એની જવાબદારી હવે મારા માથે. આવતી કાલે એ થઈ જશે.'
“આવતી કાલે ? એક દિવસમાં તો તે કેવી રીતે થાય? એમાં તો દર વર્ષે લાખો રૂપિયા જોઈએ.”
શેઠજી, એ હું જાણું છું. પરંતુ તમે મારામાં વિશ્વાસ રાખો. એ જવાબદારી હવે મારા માથે છે. આવતી કાલે એ થઈ જશે.”
મોતીશાહ શેઠ ગોસાંઈજી મહારાજનો જવાબ સાંભળી વિચારમાં પડી ગયા. તેમને એમની વાતમાં વિશ્વાસ બેસતો નહોતો. ગોસાંઈજી મહારાજ એકલે હાથે તો કેટલું કામ કરી શકે ?
બીજે દિવસે સવારે વૈષ્ણવ લોકો મંદિરમાં મંગળાનાં દર્શન માટે એકઠા થયા. પરંતુ મંગળાનાં દર્શન હજુ ખૂલ્યાં નહોતાં. રોજ કરતાં મોડું થયું. લોકો અધીરા થયા. તપાસ કરતાં ખબર પડી કે ગોસાંઈજી મહારાજે પોતે જ તે પ્રમાણે સૂચના આપી છે. લોકો આકળા થયા. ધમાલ મચી ગઈ આગેવાન વૈષ્ણવો મહારાજ પાસે પહોંચ્યા. ગોસાંઈજી મહારાજે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી પાંજરાપોળના નિભાવની ટિપ નહિ થાય ત્યાં સુધી દર્શન ખૂલશે નહિ, અને ત્યાં સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org