________________
‘બૉમ્બે સઁસલ' તરીકે ઓળખતા હતા. ઇંગ્લૅન્ડના રાજાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ ટાપુ વાર્ષિક દસ પાઉન્ડના ભાડે વાપરવા માટે આપ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખેતી અને વહાણવટાની દૃષ્ટિએ પોતાની આવક વધારવા માટે આ ટાપુના વિકાસમાં રસ લીધો અને બહારથી લોકોને લાવીને ટાપુના કિલ્લામાં વસાવ્યા. કંપનીએ કિલ્લો વધારે મજબૂત કર્યો અને દરિયામાં ઊંડા કિનારે મોટાં મોટાં વહાણો આવી શકે તે માટે ઊંડી મોટી ગોદી બાંધવાનું કામ પણ ચાલુ કર્યું. વળી પૉર્ટુગીઝ લોકોએ માહિમ, વરલી, શિવરી વગેરે સ્થળે આવેલા નાના નાના ટાપુઓ ઉપર જે બીજા નાના કિલ્લાઓ બાંધ્યા હતા એ કિલ્લાઓનું પણ સમારકામ કરાવીને કંપનીએ તેનો ઉપયોગ ચાલુ કર્યો હતો. ક્રમે ક્રમે કિલ્લાઓ વચ્ચેની દરિયાની ખાડી પુરાવવાનું કામ પણ ચાલુ થયું હતું. આ રીતે મુંબઈ બંદરનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ વહાણવટાના વેપારની દૃષ્ટિએ મુંબઈ બંદર સમૃદ્ધ થતું ગયું. ક્રમે ક્રમે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે પ્રદેશોના દરિયાકાંઠાના સાહસિક લોકો વહાણવટા દ્વારા થતા વેપારને નિમિત્તે મુંબઈ આવીને
વસવા લાગ્યા હતા.
ઓગણીસમી સદીનું મુંબઈ
દોઢસો વર્ષ પહેલાં ભારતમાં રેલગાડી નહોતી કે મોટરગાડી કે સાઇકલ પણ નહોતી. જમીનમાર્ગે લોકોનો વ્યવહાર પગે ચાલીને અથવા ગાડાં દ્વારા અને જળમાર્ગે નાની નૌકા કે મોટાં સઢવાળાં વહાણોથી થતો હતો. મુંબઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org