________________
જણાતો નથી; પરન્તુ કાળપ્રભાવે પિતે ભારે વિષમતામાં મુકાઈ ગયાના આઘાતમાંથી પેદા થયેલે પ્રત્યાઘાત લાગે છે. શાસ્ત્રવચનના નામે વિરોધ કરનારો પક્ષ હવે ઝનૂને ચડયો હોય તેમ તેમના અદાલતી આશ્રયથી તથા લાખો રૂપિયા ખર્ચીને જાહેર ખબરના દરે અખબારોમાં આપેલા અહેવાલેથી જણાય છે. મેં ફરીફરીને વિચાર્યું છે અને છેવટે એ જ નિર્ણય ઉપર હું આવ્યો છું કે સંમેલને કઈ ઠરાવ શાસ્ત્રવિરુદ્ધ કર્યો નથી. જેઓ વારંવાર કહે છે કે “અમારી ભૂલ બતાડે : શાસ્ત્રાધાર આપે : સુધારો કરવા અમે તૈયાર છીએ.” તેઓની સાથે શા માટે પરામર્શ કરવામાં આવતો નથી ? પોતે વિચાર્યું તે એકાતે સાચું : બીજા બધા સાવ ખાટા જ ઃ આવું તે કેમ ઉતાવળે માની શકાય ?
જૈનસંઘના જાજરમાન અસ્તિત્વને ખતમ કરે તેવા માંસાહાર, અનાચાર આદિ ભયાનક પ્રશ્નો સામે અખબારે કે અદાલતેને શ્રય કદી કેમ નથી લેવા ? અને મારીમચડીને દલીલે કરવી કે કાલ્પનિક ભય ઊભા કરવા, એ રીતે મુગ્ધ જીવને ઉશ્કેરવા; ઊભા થયેલા સંગઠનને વેરવિખેર કરવા માટે મરણિયા પ્રયત્ન કરવા એ બધું શું યોગ્ય છે? ખરેખર તે સધાયેલા સંગઠનને વધાવી લેવું, તેમાં ક્ષતિઓ હોય તો તેને ભારે પ્રેમભાવ સાથે સૂચવીને દૂર કરાવવી એ જ આ સમયનું તેઓનું એકમાત્ર કર્તવ્ય છે. સ્વપક્ષ સિવાયના તમામ શ્રમણોને ઉસૂત્રભાષી વગેરે કહેવાથી તે જૈન-સંઘની શ્રમણ સંસ્થા પ્રત્યેની શ્રદ્ધા ખતમ થઈ જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org