SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જૈન ઈતિહાસ દેશમાં અપકાયની વિરાધનાથી તથા મરૂસ્થળમાં શુદ્ધ જળના અભાવથી સાધુઓનો વિહાર અટકાવ્યો હતો. જિનપ્રબોધસૂરિ, વિક્રમ સંવત ૧૩૪૧ આ શ્રી જિનપ્રબોધસૂરિજી ખરતર ગચ્છમાં થયેલા શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય હતાં; તેમણે કાતંત્ર વ્યાકરણ ૫૨ ટીકા રચેલી છે. ગિરનાર પરના વિક્રમ સંવત ૧૩૩૩ના એક શિલાલેખમાં તેમનું નામ આપવામાં આવ્યું છે. પ્રભાચંદ્રસૂરિ, વિક્રમ સંવત ૧૩૩૪ થી ૧૩૬૦ આ શ્રી પ્રભાચંદ્રસૂરિજી વિક્રમ સંવત ૧૩૩૪ માં વિદ્યમાન હતા, તે ચાંદ્રકુળમાં થયેલા શ્રી ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા. તેમણે પ્રભાવકચરિત્ર નામનો જૈનોનો એક ઉત્તમ ઐતિહાસિક ગ્રંથ રચ્યો છે. વજ્રસેનસૂરિ, વિક્રમ સંવત ૧૩૬૦ આ શ્રી વજ્રસેનસૂરિજી તપાગચ્છની નાગપુરીય શાખાના શ્રી હેમતિલકસૂરિજીના શિષ્ય હતા. તેમણે મહેશ્વરસૂરિજીને મુનિચંદ્રસૂરિજીની આવશ્યક સપ્તતી પર ટીકા રચવામાં મદદ કરી હતી. આ આચાર્યજીને સીહડ મંત્રીની લાગવગથી અલાઉદ્દીન બાદશાહ તરફથી રૂણા નામના ગામમાં એક સુંદર હાર તથા કેટલાક જૈનશાસનના હક માટે ફરમાનો મળ્યા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy