________________
૧૬૨
જૈન ઈતિહાસ
દેશમાં અપકાયની વિરાધનાથી તથા મરૂસ્થળમાં શુદ્ધ જળના અભાવથી સાધુઓનો વિહાર અટકાવ્યો હતો.
જિનપ્રબોધસૂરિ, વિક્રમ સંવત ૧૩૪૧
આ શ્રી જિનપ્રબોધસૂરિજી ખરતર ગચ્છમાં થયેલા શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય હતાં; તેમણે કાતંત્ર વ્યાકરણ ૫૨ ટીકા રચેલી છે. ગિરનાર પરના વિક્રમ સંવત ૧૩૩૩ના એક શિલાલેખમાં તેમનું નામ આપવામાં આવ્યું છે.
પ્રભાચંદ્રસૂરિ, વિક્રમ સંવત ૧૩૩૪ થી ૧૩૬૦
આ શ્રી પ્રભાચંદ્રસૂરિજી વિક્રમ સંવત ૧૩૩૪ માં વિદ્યમાન હતા, તે ચાંદ્રકુળમાં થયેલા શ્રી ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા. તેમણે પ્રભાવકચરિત્ર નામનો જૈનોનો એક ઉત્તમ ઐતિહાસિક ગ્રંથ રચ્યો છે.
વજ્રસેનસૂરિ, વિક્રમ સંવત ૧૩૬૦
આ શ્રી વજ્રસેનસૂરિજી તપાગચ્છની નાગપુરીય શાખાના શ્રી હેમતિલકસૂરિજીના શિષ્ય હતા. તેમણે મહેશ્વરસૂરિજીને મુનિચંદ્રસૂરિજીની આવશ્યક સપ્તતી પર ટીકા રચવામાં મદદ કરી હતી. આ આચાર્યજીને સીહડ મંત્રીની લાગવગથી અલાઉદ્દીન બાદશાહ તરફથી રૂણા નામના ગામમાં એક સુંદર હાર તથા કેટલાક જૈનશાસનના હક માટે ફરમાનો મળ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org