________________
પ્રકરણ
વિક્રમ સંવત ૧૩૦૦ થી ૧૪૦૦
(દેવેન્દ્રસૂરિ, જિનેશ્વરસૂરિ, ધર્મઘોષસૂરિ, સોમપ્રભસૂરિ, જિનપ્રબોધસૂરિ, પ્રભાચંદ્રસૂરિ, વજ્રસેનસૂરિ, જિનપ્રભસૂરિ, મહેન્દ્રપ્રભસૂરિ)
-
૨૨
દેવેન્દ્રસૂરિ, વિક્રમ સંવત ૧૩૨૦
શ્રી વીરપ્રભુથી પીસ્તાલીસમી પાટે શ્રી દેવેન્દ્રસૂરિ થયા. તેમને વસ્તુપાળ મંત્રીની આગેવાની નીચે સૂરિપદ આપવામાં આવ્યું હતું. તેમણે કર્મગ્રંથો, તેઓ પર ટીકા, શ્રાદ્ધદિનકૃત્ય સૂત્રવૃત્તિ, સિદ્ધપંચાસિકાવૃત્તિ, ધર્મરત્નવૃત્તિ, વગેરે ઘણા ગ્રંથો રચ્યા છે. આ આચાર્યજી મહાવિદ્વાન હતા. તેમનું સ્વર્ગગમન વિક્રમ સંવત ૧૩૨૭ માં માળવામાં થયું હતું.
જિનેશ્વરસૂરિ, વિક્રમ સંવત ૧૩૩૧
આ શ્રી જિનેશ્વરસૂરિજી ખરતર ગચ્છમાં થયેલા શ્રી જિનપતિસૂરિના શિષ્ય હતા. તેમણે ચંદ્રપ્રભચરિત્ર નામનો ગ્રંથ રચ્યો છે. તેમના શિષ્ય અભયતિલક ગણિજીએ દ્રવ્યાશ્રય કાવ્ય તથા દ્રવ્યાશ્રય કોષ પર શ્લોકબદ્ધ ટીકાઓ રચેલી છે.
Jain Education International
ધર્મઘોષસૂરિ, વિક્રમ સંવત ૧૩૩૦
શ્રી દેવેન્દ્રસૂરિની પાટે શ્રી ધર્મઘોષસૂરિ થયા. આ આચાર્યજી
For Personal & Private Use Only
www.jainelibrary.org