________________
૧૫૮
જૈન ઈતિહાસ કામ કરતાં થશે તો પણ કંઈ હરકત જેવું નથી. તે સાંભળી ચતુર અનુપમાદેવીએ કહ્યું કે, હે સલાજી ! તમારું તે કહેવું વાજબી છે, પરંતુ આ શરીર અને લક્ષ્મીનો ભરોસો નથી. આજે મંત્રીશ્વરો સર્વ બાબતથી પરિપૂર્ણ છે, પરંતુ કાળનો ભરોસો નથી, માટે મારી ઇચ્છા તો એવી છે કે, જેમ આ પ્રારંભેલું કાર્ય તુરત સંપૂર્ણ થાય તેમ સારું છે. આમ વાતચીત ચાલે છે, એવામાં તેજપાળ મંત્રી પણ ત્યાં આવી. ચડ્યા, અને તેમણે શોભનને પૂછ્યું કે, અનુપમાદેવી તમને શું કહે છે? ત્યારે શોભને સઘળી વાત મંત્રીને કહી સંભળાવી. ત્યારબાદ અનુપમાદેવીએ પોતાના સ્વામીને કહ્યું કે, હે સ્વામી! આ શરીર તથા લક્ષ્મીનો ભરોસો નથી માટે આ કાર્ય હવે તુરત સંપૂર્ણ થવું જોઈએ. અને તેનો ઉપાય એ કે કારીગરોને જે સ્નાન અને ભોજન માટે ઘેર જવું પડે છે, તે માટે અહીં રસોઈયા રાખી એક જગ્યાએ રસોડું તૈયાર કરાવવું, તથા હંમેશાં ઉત્તમ પસ ભોજન તૈયાર કરાવવાં તથા તેઓને સ્નાન આદિ માટે પણ અહીં જ ગોઠવણ કરાવવી. ઉનાળાની ઋતુ હોવાથી મધ્યાહન સમયે તેઓ માટે શીતોપચાર તૈયાર કરાવવાં તેમજ જે આ પંદરસો કારીગરો દિવસે કામ કરે છે તેવા બીજા પંદરસો કારીગરો રાખી તેમની પાસે રાત્રિએ કામ ચાલુ રખાવવું, દીવાબત્તીની સઘળી ગોઠવણ કરાવવી; અને જો તેમ કરશો તો આ કાર્ય તુરત તૈયાર થઈ સંપૂર્ણ થશે. તેજપાળ મંત્રીને પણ અનુપમાદેવીની સલાહ વાજબી લાગવાથી તેણે તે મુજબ સઘળો બંદોબસ્ત કર્યો. તેથી તે ભવ્ય કારીગિરીવાળું જિનમંદિર વિક્રમ સંવત ૧૨૯૨ માં તૈયાર થઈ ગયું, તથા તેમાં પ્રતિષ્ઠા થઈ. તે એક જિનમંદિર બનાવવા પાછળ બાર ક્રોડ અને પચાસ લાખ સોનામહોરોનો ખર્ચ થયો. આ બંને મંત્રીશ્વરોએ તેરસોતેર નવાં જિનમંદિરો બંધાવ્યાં, તેત્રીસસો જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. પાંચસો પૌષધશાળા બંધાવી. સાત ક્રોડ સોનામહોરો ખર્ચાને જૈન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org