SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઈતિહાસ કરાવવા માટે એટલી તાડના કરતા કે, જેથી હંમેશાં એક રજોહરણની દાંડી ભાંગતી. તે જોઈ સૂરાચાર્યજીએ પોતાના એક ભક્ત શ્રાવકને લોખંડની દાંડી લાવવાનું કહ્યું; તે બાબતની ગુરુને ખબર પડવાથી તેમણે સૂરાચાર્યજીને લિંભો આપ્યો કે, સાધુને લોખંડનું શસ્ત્ર રાખવાનો અધિકાર નથી. ત્યારબાદ ઉપલી ગાથા ભોજરાજાએ વાંચી તેથી ખુશ થઈને સૂરાચાર્યજીને બોલાવવા માટે પોતાના પ્રધાનોને ભીમદેવરાજાના દરબારમાં મોકલ્યા. ભીમદેવે સૂરાચાર્યજીને બોલાવી તે હકીકત કહી, તેથી તેમણે પણ વિચાર્યું કે, ભોજરાજાની સભામાં ઘણા વિદ્વાનો સંભળાય છે, માટે તેમને જીતવાથી ઘણી કીર્તિ થશે તથા જૈનશાસનનો પણ મહિમા થશે, એમ વિચારી ગુરુની આજ્ઞા લઈ સૂરાચાર્યજી ધારાનગરીમાં ગયા; ત્યાં ભોજરાજાએ ઘણા આદરમાનથી તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો. એક વખતે ભોજરાજાને એવી ઈચ્છા થઈ કે, છએ દર્શનોને હું એકમત કરી આપું; એમ વિચારી તેઓના આગેવાનોને તેણે કેદખાનામાં પૂરી કહ્યું કે, જ્યાં સુધી તમે સઘળા એકમત નહીં થાઓ, ત્યાં સુધી તમને ભોજન મળશે નહીં. તે સાંભળી તેઓ બિચારા ગભરાઈને ત્યાં બેસી રહ્યા. આ બાબતની સૂરાચાર્યજીને ખબર પડવાથી તેમણે રાજાને એવી યુક્તિથી સમજાવ્યો કે, બજારમાં જેમ સર્વ ચીજો એક જ દુકાનેથી મળે એવો બંદોબસ્ત થઈ શકતો નથી, તેમ છએ દર્શનો એકમત થવા અસંભવિત છે; એવી રીતે રાજાને સમજાવવાથી રાજાએ તે આગેવાનોને છોડી મેલ્યા, જેથી સૂરાચાર્યજીની ત્યાં ઘણી કીર્તિ થઈ. એક દહાડો સૂરાચાર્યજી ભોજરાજાની પાઠશાળામાં ગયા, તે વખતે ત્યાં ભોજરાજાએ બનાવેલા વ્યાકરણનો અભ્યાસ ચાલતો હતો; તેના ‘મંગળાચરણમાં સરસ્વતીને વધૂ (વહુ) કહેલી હતી; આથી સૂરાચાર્યજીએ જરા ઉપહાસથી તે અધ્યાપકને કહ્યું કે, સરસ્વતીને તો કુમારિકા કહેલી સાંભળી છે, પરંતુ સરસ્વતીને વહુ બનાવનારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy